વડાપ્રધાન મોદીએ દેશમાં 3 મે સુધી લોકડાઉન વધાર્યું

admin
1 Min Read

કોરોના વાયરસને લઇને જાહેર કરેલા લોકડાઉનનો સમયગાળો આજે પુરો થઇ રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકડાઉનને લઇને ફરી રાષ્ટ્રને સંબોધન કરી રહ્યાં છે. પીએમ મોદીએ સંબોધનમાં દેશમાં 3 મે સુધી લોકડાઉન લંબાવાની જાહેરાત કરી છે. જો કે હાલમાં વિશ્વ સહિત ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આમ લોકડાઉનના 21 દિવસ પુરા થઇ રહ્યાં છે ત્યારે પીએમ મોદી ચોથી વખત દેશને સંબોધિત કરી રહ્યાં છે.

કોરોના સામેની ભારતની લડાઇ મજબુતાથી ચાલી રહી છે. લોકોએ મુશ્કેલીનો સામનો કરીને દેશને બચાવ્યો છે. આપણે કોરોનાથી થતા નુકસાનને ટાળવામાં સફળ રહ્યાં છે. પીએમ મોદીએ કહ્યું કે દેશ માટે અનુશાસિત સિપાહીની જેમ દેશવાસીઓ કર્તવ્ય નિભાવે છે, સૌને નમન કરુ છું. કોરોનામાં ભારતની લડાઇ મજબૂતીથી આગળ વધી રહ્યું છે. સામુહિક શક્તિનો સંકલ્પ બાબા સાહેબ આંબેડકરને સાચી શ્રધ્ધાંજલી છે.

જો કે તેમ છતાં પીએમના આ રાષ્ટ્રજોગ સંદેશ પહેલા જ દેશના 10 રાજ્યોમાં એપ્રિલ મહિનાના અંત સુધીમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું. જેમાં 10 રાજ્યોએ લોકડાઉન વધારવાની પહેલા જ જાહેરાત કરી દીધી હતી. જેમાં ઓડિસા, પશ્વિમ બંગાળ, તામિલનાડુ, તેલંગાણા, ઓડિસા, મેઘાલય, મિઝોરમ, પોંડિચેરીમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કર્યું છે. જો કે પંજાબેમાં 1લી મે સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Share This Article