રાજકોટ : તળાવમાં ન્હાવા પડેલી સગીરાનું મોત

admin
1 Min Read

રાજકોટની ભાગોળે કુવાડવારોડ પર નવાગામ સ્લમ ક્વાર્ટરમાં રહેતી ચાર બાળકીઓ ઘરથી નજીક રંગીલા સોસાયટીમાં આવેલા તળાવ પર ન્હાવા જતા ચારેય ડુબી હતી જેમા અંજલી લાલબાબુ સોની બીહારી ઉ.વ.14 નામની પરપ્રાંતિય પરિવારની પુત્રીનું ડુબી જતા મોત નિપજ્યાની ઘટના કુવાડવારોડ પોલીસમથકે નોંધાઈ છે.પોલીસના સુત્રોની વિગતો મુજબ અંજલી પાડોશમાં રહેતી અન્ય સખીઓ સુષ્મા ઉ.વ.14, શિવાની ઉ.વ.13 તથા શૈલી ઉ.વ.7 સાથે ઘર નજીક જ આજે તળાવમાં ન્હાવા ગઈ હતી. ચારેય અચાનક ડુબવા લાગી હતી. તળાવ પર અન્ય રહેવાસી મહિલાઓ કપડા ધોવા, લોકો ન્હાવા આવતા હોવાથી બાળકીઓ ડુબવા લાગતા ચારેય બાળકીને ડુબતી બચાવીને બહાર કઢાઈ હતી.અંજલી પાણી વધુ પી ગઈ હોવાથી બેશુધ્ધ બની ગઈ હતી. સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી પરંતુ ત્યાં મૃત્યુ નિપજ્યું હતું. અંજલી બે બહેન, ત્રણ ભાઈમાં નાની હતી. પિતા માટીના વાસણો વેચવાનું કામ ધરાવે છે.

Share This Article