જૂનાગઢમાં બંદૂકની ગોળી વાગવાથી સાધુનું મોત

admin
1 Min Read

ભવનાથ તીર્થક્ષેત્રમાં આવેલા જુના અખાડા નજીકથી કેવલગીરી નામના સાધુનો ગોળી મારેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સાધુની હત્યા થયાની શંકા સેવાઇ રહી છે. પોલીસે સાધુના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યો છે. સાધુની હત્યા થઇ છે કે પછી આત્મહત્યા કરી છે તે તપાસ બાદ જ બહાર આવશે. પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ શહેરના ભવનાથ વિસ્તારમાં આવેલ જૂના અખાડા પાસે એક સાધુનું ગોળી વાગવાથી મોત નીપજ્યું છે. જૂના અખાડા પાસે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. સાધુ કેવલગીરી અને સાધુ ઓમગીરી આ બંને સાધુ રઘુનાથગીરીની કુટિયામાં ગયા હતા. ત્યાં કેવલગીરીને ઓમગીરી અને રાજનારાયણ ગીરીએ પિસ્તોલ બતાવી હતી. અકસ્માતે આ પિસ્તોલમાંથી ફાયરિંગ થતાં સાધુ કેવલગીરીનું મોત થયું હતું. આ બાબતને લઈને પોલીસ ઓમગીરી અને રાજનારાયણ ગીરીની પૂછપરછ હાથ ધરી છે. હાલ પોલીસે સાધુની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article