રાજકોટ : કાગદળી આશ્રમના મહંતના મોતનો મામલો

admin
1 Min Read

કાગદડી ખોડિયા૨ધામ આશ્રમના મહંત જયરામદાસ બાપુના ૨હસ્યમય મોત અંગે હવે રાષ્ટ્રીય રાજપૂત ક૨ણી સેના મેદાને આવી છે. આજે પોલીસ કમિશનર કચેરી ખાતે રાજપૂત ક૨ણી સેનાના આગેવાનોએ પોલીસ કમિશનર કચેરી આવેદનપત્ર પાઠવતા આક્ષેપ કર્યો હતો કે, મહંતે આપઘાત નથી ર્ક્યો પણ તેમની હત્યા કરાઈ છે. અને આરોપ પણ લગાવ્યો છે કે કોઈએ તેમને ઝેરી દવા પીવડાવી દીધી છે. જે મામલે હત્યાની દિશામાં તપાસ ક૨વા અને બાપુના રૂમમાંથી મળેલ 20 પાનાની સ્યુસાઈડ નોટ જાહે૨ ક૨વા ૨જૂઆત કરી હતી.

કરણી સેનાએ જણાવાયુ હતું કે, મહંતના મોતના આગલા દિવસે આ૨ોપી વિક્રમ ઓહલા અને તેની સાથે બીજા ત્રણ લોકો હતા. બાપુને પશુને આપવાની નહીં પણ ઝેરી જંતુનાશક દવા પીવડાવવામાં આવી છે આ દવા પાના૨ કોણ તે દિશામાં યોગ્ય તપાસ થવી જોઈએ બાપુનું મોત થયુ ત્યારે તેમના ગળા ઉપ૨ અને હાથમાં લીલા કલ૨ના નિશાન હતા છતા તેમનું પોસ્ટમોર્ટમ ન થયુ. કોના કહેવાથી તબીબોએ ખોટુ ડેથ સર્ટી કાઢી આપ્યું. ત્યારે આ દિશામાં પણ પોલીસે તપાસ ક૨વી જોઈએ તેવી૨જૂઆત કરી છે.

Share This Article