રાજકોટ- પૂર્વ પ્રેમીના ત્રાસથી કંટાળી દીપાલીએ આપઘાત કર્યો

Subham Bhatt
2 Min Read

રાજકોટના નાણાંવટી ચોક પાસે હરસિદ્ધિ સોસાયટીનો બનાવ: હું આપઘાત કરૂ છું, મને આપઘાત માટે સુનિલ કુકડીયાએમજબુર કરી છે તેણે મારા માતા-પિતાને ગાળો આપી છે મને તેણે મારી પણ છે, સોરી પપ્પા:પોલીસને સ્યુસાઇડ નોટ મળીઆવી: પિતા રાજુભાઈની ફરિયાદ પરથી સુનિલ સામે આપઘાતની ફરજ હેઠળ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈહરસિદ્ધિ સોસાયટીમાં રહેતી દિપાલી પરમારે તેના જ વિસ્તારમાં રહેતા સુનિલ કુકડીયાના ત્રાસથી કંટાળી ફાંસો ખાઈ આપઘાતકરી લીધો હતો.આ બનાવમાં આપઘાતની ફરજ હેઠળ ગુન્હો નોંધાયો છે.સુનિલના ગઈકાલે જ લગ્ન હતા તેમની જાનપાટણવાવ ગઈ હતી ત્યારે દીપાલીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.યુવતીના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.રાજકોટના નાણાવટી ચોકમાં આવેલી હરસિદ્ધિ સોસાયટીમાં યુવતીએ આપઘાત કરી લીધો હતો.આ બનાવમાં યુનિવર્સિટીપોલીસે તપાસ કરતા યુવતીએ તેના જ વિસ્તારમાં રહેતા પૂર્વ પ્રેમીએ ત્રાસ આપી મારમાર્યો હતો અને માતા પિતાને પણ ગાળો આપતા આપઘાત કરી લીધાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી

Rajkot: Deepali committed suicide after being harassed by her ex-boyfriend

તેમજ મૃતકનો મોબાઈલ કબજે લઈ મૃતકના પિતાની ફરિયાદપરથી યુવક સામે આપઘાતની ફરજ હેઠળ ગુન્હો નોંધાયો હતો. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,હરસિદ્ધિ સોસાયટીમાં રહેતીદિપાલી રાજુભાઈ પરમાર(ઉ.વ.25) નામની યુવતીએ ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બના અંગેની જાણ થતાં યુનિવર્સિટી પોલીસના ઇકબાલભાઈ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.તપાસ કરતા દિપાલીબેનના માતા પિતાપ્રસંગમાં ગયા હતા જેથી પરિણીત બહેન અને તેનો ભાઈ ઘરે હતા.ત્યારે દિપાલીએ રૂમમાં જઇ આપઘાત કરી લીધો હતો.દિપાલીબેન બે ભાઈ બે બહેનમાં બીજા નંબરના હતા.તેઓએ કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે.

Share This Article