સુરતમાં વધતા જતા કોરોનાના કેસને લઈ તંત્રમાં દોડધામ, 24 કલાકમાં નોંધાયા વધુ 270 કેસ

admin
1 Min Read

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. અનલોક 1 બાદ અનલોક 2 લાગુ થઈ ચુક્યુ છે ત્યારે આ દરમિયાન કોરોનાના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં અમદાવાદ બાદ હવે કોરોનાએ સુરતને બાનમાં લીધું છે.. સુરતમાં હવે જાણે કોરોના આઉટ ઓફ કંટ્રોલ થઈ રહ્યો હોય તેમ રોજેરોજ કેસની સંખ્યા વધી રહી છે. ત્યારે 10 જુલાઈ સાંજથી 11 જુલાઈ સાંજ સુધીમાં સુરતમાં કોરોનાના વધુ 270 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

(File Pic)

જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોનાના શંકાસ્પદ લક્ષણ ધરાવતા 948 લોકોનો કોવિડ-19નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પૈકી 270 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સુરતમાં આ સાથે જ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 7577 થઈ ગઈ છે. જ્યારે સુરતમાં 24 કલાકમાં 136 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સુરતમાં અત્યાર સુધી 4744 દર્દીઓએ કોરોનાને માત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે સુરતમાં 24 કલાકમાં 3 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધી સુરતમાં 212 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા છે. તો હાલ સુરત જિલ્લામાં 2621 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમને હોસ્પિટલમાં કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે.

Share This Article