સુશાંતને ખુશ રાખવા રીયા ચક્રવર્તી કરતી હતી આ શખ્સને ફોન..

admin
2 Min Read

બોલીવુડ અભિનેતા સુશાંતસિંહની મોત બાદથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. અભિનેતાની આત્મહત્યાને લઈ બોલીવુડજગત પર પણ સવાલો ઉભા થયા છે. ત્યારે સુશાંતની મોત બાદ વધુ એક ડાયરેક્ટરે કેટલાક ખુલાસા કર્યા છે.

સુશાંત તેની આગામી ફિલ્મ ફિલ્મમેકર રુમી જાફરી સાથે કરવાનો હતો. રુમી જાફરીની આ ફિલ્મમાં સુશાંત સાથે રીયા ચક્રવર્તી લીડ રોલમાં જોવા મળવાની હતી. ત્યારે રુમીએ હાલાં જ સુશાંત અને રીયા અંગે કેટલીક વાત કરી હતી.

તેમણે જણાવ્યું કે રીયાએ મને જણાવ્યુ હતુ કે સુશાંત ડિપ્રેશનમાં છે. ત્યાં સુધી કે સુશાંતે પણ મને 5-6 મહિના પહેલા જ આ વાત કરી હતી. રુમીએ કહ્યું, ‘સુશાંત અભિનય છોડી દેવા માંગતો ન હતો. તે તીવ્ર અને હોશિયાર હતો. અમે ખેતી પર ખુલીને વાતો કરતા. આટલું જ નહીં જ્યારે પણ સુશાંત મારા ઘરે આવતો ત્યારે તે મારા બગીચામાં જતો.

રુમીએ આ રોમેન્ટિક કૉમેડી ફિલ્મના નિર્માણની સુશાંત અને રિયા વિશે પિંકવિલા સાથે વાત કરી હતી. જાફરીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘રિયા ચક્રવર્તી  મને સુશાંતના ઘરે બોલાવતી હતી અને ફોન કરતી હતી. તે કહેતી, સર, તમે આવીને અમારી સાથે બેસો, અમને થોડીક સકારાત્મક ઉર્જા મળે છે, અમે ખુશ થઈએ છીએ. હું જાણતો હતો કે સુશાંત હતાશ હતો અને તેની દવાઓ ચાલતી હતી. રુમીએ જણાવ્યું કે તેમમે રિયા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ખૂબ જ નારાજ છે અને ફોન ઉપાડતી નથી, ત્યારબાદ મેં તેની માતા સાથે વાત કરી.

રૂમી જાફરીએ ઉમેર્યુ કે , સુશાંતને ડિપ્રેશન અંગે તેની પાસેથી આનું કારણ જાણવા માટે ઘણી વાર પ્રયાસ કર્યો, પરંતુ તેણે વધારે કંઈ કહ્યું નહીં, ન તો મેં દબાણ કર્યું, કારણ કે મને લાગે છે કે તે કદાચ આ વિશે વાત કરવા માંગતો નહોતો. રૂમીએ વધુમાં કહ્યું કે ‘તે મને ગમતો, મારી સાથે ટીખળ કરતો. મેં 12 જૂને તેના મોબાઇલ પર મેસેજ કર્યો અને તેણે ભાવનાત્મક જવાબ આપ્યો. મેં હજી પણ ઘણી વાર સુશાંતનો મેસેજ વાંચ્યો વિશ્વાસ આવતો નથી.’

Share This Article