સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરના નલિનકાંત ટાઉન હોલ ખાતે બે દિવસ પહેલા વેપારીઓ અને નગરપાલિકાની એક બેઠક યોજવામાં આવી હતી.શહેરમાં કોરોના દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે કોરોનાની ચેઈન તોડવા માટે લોક ડાઉન જરૂરી હતુ તો વેપારીઓ સાથેની મીટીંગ બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં સાંજના 5 થી સવારના 5 સુધી લોક ડાઉન તો શનિવાર અને રવિવાર સવારથી સ્વયંભૂ લોક ડાઉન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જેમાં આજે વહેલી સવારથી જ સ્થાનિકો અને વેપારીઓ બંધમાં જોડાયા હતા અને સ્વયંભૂ બંધ રાખ્યુ હતુ…માત્ર આવશ્યક ચીજવસ્તુઓ 10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે તો પાલિકા પ્રમુખ અને સદસ્યો એ પણ શહેરમાં લોક ડાઉનને કેવુ સમર્થન મળી રહ્યુ છે તે માટે શહેરમાં ફર્યા હતા ત્યારે લોકોએ પણ સમર્થન આપીને બંધ પાડ્યુ હતુ.