પાટણ : રાધનપુરમાં બે દિવસ સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય

admin
1 Min Read

પાટણ જીલ્લાના રાધનપુરમાં બે દિવસ પહેલા વેપારીઓ અને પ્રશાશનની એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં બે દિવસ સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે આજે આ બંધને વેપારી મંડળનું સમર્થન મળ્યું હતું.શહેરમાં કોરોના દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે કોરોનાની ચેઈન તોડવા માટે લોક ડાઉન જરૂરી હતુ તો વેપારીઓ અને પ્રશાશન સાથેની મીટીંગ બાદ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

જેમાં શનિવાર અને રવિવાર સવારથી સ્વયંભૂ લોક ડાઉન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં આજે વહેલી સવારથી જ સ્થાનિકો અને વેપારીઓ બંધમાં જોડાયા હતા અને સ્વયંભૂ બંધ રાખ્યુ હતુ…માત્ર આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો જ ખુલ્લી જોવા મળી હતી. ત્યારે લોકોએ પણ સમર્થન આપીને બંધ પાળ્યું હતુ. ત્યારે રાધનપુરમાં રીક્ષા દ્વારા બે દિવસ બજારો બંધ રાખવા લાઉડ સ્પીકરથી જાહેરાત પણ કરવામાં આવી હતી

Share This Article