કાલુડી બ્રહ્મધામ આસોત્રા રાજપુરોહિત સમાજ વિકાસ ન્યાસ ટ્રસ્ટના મહામંત્રી તરીકે બાબુસિંહજી સતત બીજી વખત ચૂંટાયા.કાલુડી બ્રહ્મધામ આસોત્રા રાજપુરોહિત સમાજ વિકાસ ન્યાસ ટ્રસ્ટના મહામંત્રી તરીકે બાબુસિંહજી સતત બીજી વખત ચૂંટાઇઆવ્યા હતા, શ્રી રાજપુરોહિત યુવા સંગઠન હિંમતનગર સાબરકાંઠા દ્વારા હિંમતનગર અશોક વાટિકા ખાતે શ્રી બાબુસિંહજીના સન્માનમાં સ્વાગત સમારહોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના રાજપુરોહિત સમાજના ૨૫૦ થી ૩૦૦ જેટલા લોકો હાજર રહયા હતાં.
શ્રી બાબુસિંહજી એ સમાજ ને સંબોધિત કરતજણાવ્યું હતું કે, સમાજ નશા મુક્ત બને, સમાજ કે બાળક વ બલિકાયે શિક્ષિત બને, તેમજ સમાજ માંથી ગરીબી દૂર થાય અને સમાજના દરેક યુવા સક્ષમ બને તેવી અપીલ કરી હતી. શ્રી રાજપુરોહિત યુવા સંગઠન હિંમતનગર સાબરકાંઠાના પ્રમુખ અનેહિંમતનગર નગરપાલિકાના ઉપપ્રમુખ અમૃતભાઇ પુરોહિત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રામસિંહ રાજપુરોહિતે કર્યુ હતું