સાબરકાંઠા : કોરોનાગ્રસ્ત દર્દીઓને દૂધનું વિતરણ કરવામાં આવ્યું

admin
1 Min Read

કોરોનાની આ મહામારીમાં અનેક સેવાભાવી સંસ્થાઓ કોરોના દર્દીઓની મદદે આવી છે જેમાં આ સંસ્થાઓ દ્વારા માસ્ક, ફૂડ, દર્દીઓને આરોગ્યલક્ષી સારવાર જેવી ઘણી મદદ કરવામાં આવી છે. ત્યારે હજુ પણ આવી સંસ્થાઓ અનેક દર્દીઓની મદદ કરી રહી છે ત્યારે સાબરકાંઠામાં આવી જ એક સેવાભાવી સંસ્થા જસીબા સેવા ટ્રસ્ટની સરાહનીય કામગીરી જોવા મળી છે જેમાં ટ્રસ્ટના સંસ્થાપક નરેન્દ્રસિંહ પરમાર દ્વારા સિમ્સ હોસ્પિટલ, આશીર્વાદ હોસ્પિટલમાં દાખલ કરેલા કોરોના ગ્રસ્ત દર્દીઓને તથા તેમના સગા સંબંધીઓને ગીર ગાયનું દૂધ આપવામાં આવ્યું.

ગીર ગાયના દૂધમાં કેસર કાજુ બદામ હળદર ઈલાયચી જાયફળ જેવા ડ્રાયફ્રુટ નાખીને દર્દીની ઇમ્યુનિટી વધે તે માટે તમામ દર્દી તથા તેમના સગા સંબંધી તેમજ ડોક્ટર નર્સ બ્રધર તમામને ગીર ગાયનું દૂધ આપવામાં આવ્યું હતું. જેમાં જસીબા સેવા ટ્રસ્ટના સભ્યો સંજય ગાંધી, ભગવતી ભાઈ, પિનાકીનભાઈ,વિપુલભાઈ,સુકેત ભાઈ હરેશભાઈ, તેમજ અન્ય ટીમ ના સભ્યોહાજર રહયા હતા.

Share This Article