સાબરકાંઠા એસ.ટી ડિવિજન દ્વારા રાજસ્થાનની બસોના રુટ શરુ કરાયા છે જેમાં હિંમતનગર ડેપોના ૪, પ્રાંતિજ ડેપોના ૨ અને ઇડર ડેપોનો એક રુટ ફરી શરુ કરવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ સાબરકાંઠા એસ.ટી. ડિવિઝન દ્વારા રાજસ્થાનમાં કોરોનાની બીજી લહેરને કારણે લોકડાઉન અમલી બનતાં રાજસ્થાન રૂટ પર જતી બસોની સેવા બંધ કરાઇ હતી.
જેથી મુસાફરોને હાલાકી થઇ હતી. પરંતુ એસ.ટી. ડિવિઝન દ્વારા હિંમતનગર ડેપોની 4, પ્રાંતિજ ડેપોની 2 અને ઇડરની ડેપોની એક મળી કુલ 7 બસોના રૂટ શરૂ કરાયા છે. જેનો રાજસ્થાનના મુસાફરોને લાભ થશે. હવે રાજસ્થાનમાં કેસો ઘટતા બુધવારે તા. 16-06-21 ના રોજ સા.કાં. એસ.ટી. દ્વારા જોધપુર, કાલીન્દ્રી, બાડમેર, જાલોર સહિતની 7 બસોના રૂટ શરૂ કરાયા છે જેમાં હિંમતનગર ડેપોની 4 બસ, પ્રાંતિજ ડેપોની 2 બસ અને ઇડરની ડેપોની એક બસનો સમાવેશ થાય છે.