સાબરકાંઠા- હિંમતનગરમાં વ્યાજખોરોના ત્રાસે યુવકનો આપઘાત

Subham Bhatt
1 Min Read

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી બગીચા વિસ્તારમાં ઘર સુધી પહોંચેલા વ્યાજખોરોએમોડી રાત્રે પરિવારની હાજરીમાં ખરાબ વર્તન કરી અપમાનિત અવસ્થામાં પહોંચાડતા લાગી આવવાને કારણે યુવકે રાત્રિદરમિયાન પંખા સાથે લટકી જઇ ફાંસો લગાવી જીવન ટૂંકાવી લેતાં ચકચાર મચી છે. મૃતકની પત્નીએ સાત જેટલા વ્યાજખોરોવિરુદ્વ કાર્યવાહી હાથ ધરવા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી જેને પગલે પોલીસે પણ કાર્યવાહીની હૈયાધારણ આપી હતી. બગીચા વિસ્તારમાં પદમાવતી ફ્લેટ નંબર 201 માં રહેતા ભાર્ગવભાઇ બાબુભાઇ ગોહીલના ઘર આગળ એમ્બ્યુલન્સ આવીને ઉભી રહ્યા બાદ ભાર્ગવભાઇનુ અકાળે મોત થવાની જાણ થતાં પોલીસને જાણ કરાઇ હતી.

Sabarkantha- Suicide of a youth due to harassment of usurers in Himmatnagar

ભાર્ગવભાઇ એ વ્યાજખોરોનો ત્રાસ સહન ન થતા પંખે લટકી જઇ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યાની વાત વહેતી થઇ હતી. વ્યાજખોરોનીપૈસાની લ્હાયમાં પત્નીએ પતિ, દીકરાએ પિતા અને ભાઇઓએ ભાઇ ગુમાવ્યો છે. પોલીસે લાશને પીએમ માટે લઇ ગઇ હતી.આ અંગે હિંમતનગર બી ડિવિઝન પીએસઆઇ અર્જુન જોષીએ જણાવ્યું કે પી.એમ. વગેરેની કાર્યવાહી હાથ ધરાઇ છે. મૃતકની પત્નીની રજૂઆત અનુસંધાને તપાસ હાથ ધરી કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે.

Share This Article