સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલા બાવનગોળ કડવા પાટીદાર સમાજ વાડી ખાતે ત્રીજો પાટોત્સવ યોજાયો હતો. મળતી વિગત અનુસાર પ્રાંતિજ રેલ્વે સ્ટેશન જીઇબી પાસે આવેલ બાવનગોળ કડવા પાટીદાર સમાજની વાડી ઉમાધામમાં બિરાજમાન રાજરાજેશ્વરી શ્રી ઉમિયા માતાજી, શ્રી અંબે માતાજી, શ્રી ગાયત્રી માતાજી, શ્રી ઉમેશ્વર મહાદેવ, શ્રી કષ્ટભંજન હનુમાનજી, શ્રી ભૈરવદાદા તથા શ્રી ગણપતિ દાદાના મંદિરનો ત્રીજો પાટોત્સવ યોજાયો હતો. જેમાં મંદિર પરિષદમાં નવચંડી યજ્ઞ, શ્રી ફળ હોમ સહિતના કાર્યક્રમો યોજાયા હતાં.
ત્રીજા પાટોત્સવના મુખ્ય યજમાન રસિકભાઇ પૂંજાભાઇ પટેલ હસ્તે રીતેષભાઇ અમીનપુર પરિવાર દ્વારા યોજાયો હતો. તો રાત્રી સમયે રાસ ગરબાનું પણ યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી બાવનગોળ કડવા પાટીદાર સમાજના ભાઇ બહેનો સહિત આજુબાજુમાં રહેતાં ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને યજ્ઞ દર્શન કરી પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી. બાવનગોળ કડવા પાટીદાર સમાજ યુવક મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.