વડોદરાના કરજણ તાલુકાના સારીંગ ગામની સીમમાં આવેલી સુપ્રસિદ્ધ હજરત સૈયદ પરદેશી પીર બાવા સાહેબની દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. મળતી માહિતી મુજબ, પાલેજ – નારેશ્વર માર્ગ પર કરજણ તાલુકાના સારિંગ ગામની સીમમાં આવેલી હજરત સૈયદ પરદેશી પીર બાવા સાહેબની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી.
આ પ્રસંગે ગુલબર્ગાવાળા હજરત સૈયદ મોહસીન બાવા સાહેબની ઉપસ્થિતિમા સંદલ શરીફ અર્પણ કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદો જોડાયા હતા. ત્યારબાદ વિશેષ દુઆ ગુજારી સલાતો સલામના પઠન સાથે સમગ્ર કાર્યક્રમનું સમાપન કરાયું હતું. દરગાહ શરીફના પટાંગણમાં સંચાલકો દ્વારા સામુહિક ભોજનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત સૌ લોકોએ ભાગ લીધો હતો