Connect with us

બનાસકાંઠા

સરહદ પર તીડનુ ઝુંડ ત્રાટકે તેવી સંભાવના

Published

on

26 વર્ષ બાદ સરહદ પર તીડનુ ઝુંડ ત્રાટકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.ત્યારે ભારત અને પાકિસ્તાનના અધિકારીઓએ બોર્ડર પર ત્રાટકનારા તીડનાં ઝુંડથી બચવા માટે મુલાકાત કરી હતી. 1993 બાદ તીડના ટોળાંઓનો આ સૌથી મોટો હુમલો હોવાનું કહેવાય રહ્યું છે. એવી પણ શક્યતા છે કે બંને દેશો સંયુક્ત રીતે આ મુશ્કેલીનો સામનો કરશે.

ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે મુનાબો ગામમાં અંદાજે ચાર કલાક ચાલેલી આ બેઠકમાં વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આ સંકટથી બચવાના મુદ્દાઓને લઈને ચર્ચા થઈ હતી. બુધવારે બોર્ડર પર આવેલાં તમામ જિલ્લાઓને એલર્ટ પણ આપવામાં આવ્યું હતું. તીડ ચેતવણી વિભાગના અધિકારી મહેશ ચંદ્રે જણાાાવ્યું હતું કે 26 વર્ષ પછી તીડનાં ઝુંડનો ખતરો આટલા મોટાપાયે ઉભો થયો છે. જોકે, જેસલમેરમાં પહેલાં પણ આ ઝુંડ જોવા મળ્યા હતા. આ પાકિસ્તાનથી આવે છે અને ભારતના બાડમેર, જેસલમેર, બિકાનેર અને સૂરતગઢ વિસ્તારોમાં ફેલાઈ જાય છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

બનાસકાંઠા

ધાનેરાની ઓળખ સમુ મામા બાપજીનું તળાવ સુકાવા લાગ્યું

Published

on

Dhanera's identity Samu Mama Bapji's lake started drying up

ધાનેરાની ઓળખ સમુ મામા બાપજીનું તળાવ પાણી વિના હવે સુકાવા લાગ્યું છે. છેલ્લા બે વર્ષથી ઓછા વરસાદને લઇ તળાવો સુકાઇ જતાં કોરા કટ પડ્યા છે. વન્ય જીવો પણ પાણી માટે રઝળી રહ્યા છે. ત્યારે ધાનેરા શહેરની ઓળખસમા મામા બાપજીના મંદિર આગળ આવેલું પવિત્ર તળાવ પણ સુકાઇ રહ્યું છે.ધાનેરામાં પર્યટન સ્થળ જો કોઇ હોય તો તે માત્ર મામા બાપજીનું મંદિર છે. મંદિરની આગળ આવેલા તળાવમાં ધાર્મિક પ્રસંગોની ઉજવણી થાય છે.

Dhanera's identity Samu Mama Bapji's lake started drying up

 

ગણપતિ વિસર્જન હોય કે દશામાંની મૂર્તિ વિસર્જન કે પછી કાનુડા વિસર્જન સમયે લોકો ભક્તિ ભાવ સાથે મામા બાપજીના તળાવ પર આવતા હોય છે. જો કે હવે જેમ-જેમ દિવસો વિતી રહ્યા છે તેમ તેમ મામા બાપજીના મંદિર આગળ આવેલું તળાવ સુકાઇ રહ્યું છે.તળાવમાં કાચબા સહિતના અન્ય જીવો પાણી વિના મરણ પથારીએ છે. ધાનેરાની સેવા ભાવિ સંસ્થાના આગેવાનો સહિત ધાનેરાના નાગરિકો દ્વારા મામા બાપજીના તળાવને ભરવા માટે આગળ આવે તો પાણીમાં રહેલા જીવોને બચાવી શકાય તેમ છે.

Continue Reading

બનાસકાંઠા

પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર, આપઘાતનું કારણ અકબંધ

Published

on

Policeman commits suicide by choking himself, cause of suicide intact

મળતી માહિતી પ્રમાણે જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા પોલીસ મથકમાં ફરજ બજાવતા અને ચેખલા ગામ (Chekhla village)ના રહેવાસી હેડ કોન્સ્ટેબલ બાબરાજી રાઠોડે  ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. બાબરાજી રાત્રે ફરજ પર હતા. રાત્રે ફરજ પરથી પરત ફરીને ઘરે પરત ફર્યાં બાદ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

Policeman commits suicide by choking himself, cause of suicide intact

ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતક પોલીસ કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં હેડ કોન્સ્ટેબલે શા માટે આપઘાત કર્યો છે તેની કોઈ માહિતી જોવા મળી નથી.

Continue Reading

બનાસકાંઠા

યુવતીના મોતનો બદલો લેવા ટોળાએ આખા ગામને લીધું બાનમાં, વીડિયો વાયરલ

Published

on

Crowds take whole village hostage to avenge girl's death, video goes viral

અમીરગઢમાં હિંસક હુમલાનો વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. આદિવાસી યુવતીના  આપઘાતનો બદલો લેવા હુમલો કરાયો હોવાનું માનવામાં આવી રહ્યુ છે. અમીરગઢના રબારીયા ગામમાં મંગળવારે ઝાડ ઉપર ફાંસો ખાઈ એક યુવતીએ આપઘાત કરી લીધો હતો. જોકે, પરિવારનો આરોપ છે કે, આ યુવતીને મારી નાંખ્યા બાદ લટકાવી દીધી હતી. આ યુવતીના મોતનો બદલો લેવા માટે આ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં લોકોના મકાનમાં તોડફોડ અને આગચંપી પણ કરવામાં આવતા ગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ હતો પરંતુ હાલ ગામમાં શાંતિ છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગુરુવારે પરિવારજનો તેના મૃતદેહને રબારીયા ગામે તેના એક શંકાસ્પદ મિત્ર યુવકના ઘર આગળ લઈ ગયા હતા.

Crowds take whole village hostage to avenge girl's death, video goes viral

જ્યાં ઘરમાં તોડફોડ કરી હતી અને આગચંપી કરતાં ભારે નાસભાગ મચી ગઇ હતી. આ સાથે અન્ચ મકાનોમાં પણ નુકસાન કરવામાં આવ્યું હતુ. જે બાદ યુવતીના મૃતદેહની અંતિમ વિધિ કરાઈ હતી.અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રખાયેલા તેના મૃતદેહને લઈને પરિવારજનો સહિત મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોનું ટોળું ગુરુવારે ગામ ગરાસીયા પુરા ગયા હતા. જે બાદ ચડોતરૂ કરાયું હતું. જેમણે આખા ગરાસિયાપુરા ગામમાં હિંસક પ્રવૃત્તિઓ કરી હતી. જેના કારણે ગભરાઇને કેટલાક લોકો ગામ છોડીને પણ ભાગી ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળાંએ મકાનો સહિત ઘરમાં પડેલા સાધન સામગ્રીની તોડફોડ કરી મોટું નુકસાન કર્યું હતું. તેમજ વાહનો સહિત મકાનોને ટાર્ગેટ બનાવી માલ સમાનને આગ ચાંપવામાં આવી હતી.

 

Continue Reading
Uncategorized27 seconds ago

મજૂરોને પણ દર મહિને રૂ. 10,000 પેન્શન મળશે? મોદી સરકારે સંસદમાં આનો જવાબ આપ્યો

Uncategorized5 mins ago

અક્ષય તૃતીયા પર થશે દરેક મનોકામના પુરી, બસ આ વસ્તુઓનું કરો દાન

Uncategorized1 hour ago

PM નરેન્દ્ર મોદી આજે ‘ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સ’નું ઉદ્ઘાટન કરશે, 100 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે

Uncategorized16 hours ago

મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાને કોર્ટ તરફથી ઝટકો! 5 દિવસ વધુ લંબાવી EDની રિમાન્ડ

Uncategorized16 hours ago

NIAએ નિઝામાબાદ કેસમાં PFI વિરુદ્ધ 5 આરોપીઓના નામ આપ્યા, ચાર્જશીટ ફાઇલ કરી

Uncategorized17 hours ago

આત્મનિર્ભર ભારત! હવે દેશ બનશે ટેક્સટાઈલ હબ, PM મોદીએ 7 રાજ્યોમાં આ મોટા પ્રોજેક્ટને મંજૂરી આપી

Uncategorized17 hours ago

કુંભકર્ણને પણ ટક્કર મારે તેવા લોકો રહે છે આ ગામમાં! એકવાર સુઈ ગયા તો મહિનાઓ સુધી નથી જાગતા

Uncategorized17 hours ago

Maruti Brezza CNG : લોન્ચ થઇ બ્રેઝા સીએનજી, જાણો કેટલી આપશે માઈલેજ

Uncategorized3 weeks ago

ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ઉપયોગમાં લેવાતા ભાવના સૂચકાંકોના પ્રકારો

ગુજરાત3 weeks ago

ફોરવર્ડ અને ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ વચ્ચે શું તફાવત છે?

Uncategorized3 weeks ago

પૂલ ટેબલ હત્યાકાંડ: બ્રાઝિલમાં ગેમ હારવા બદલ ખેલાડીની હાંસી ઉડાવતા 12 વર્ષની બાળકી અને સાત પુરુષોની ગોળી મારી હત્યા કરી

Uncategorized3 weeks ago

વિશ્વની સૌથી લાંબી નદી ક્રુઝ MV ગંગા વિલાસ પહોંચી ડિબ્રુગઢ, 50 દિવસની સફર પૂર્ણ કરી

ગુજરાત4 weeks ago

ડેરિવેટિવ્ઝ માટે સ્ટોક્સ માટે પાત્રતા માપદંડ

Uncategorized4 weeks ago

ભૂકંપ પ્રભાવિત તુર્કીથી સ્વદેશ પરત આવેલી સેનાની મેડિકલ ટીમનું સ્વાગત, આર્મી ચીફે કર્યા ખુબ વખાણ

Uncategorized3 weeks ago

પીએમ મોદીએ કર્યું શિવમોગ્ગા એરપોર્ટનું ઉદ્ઘાટન અને બોલ્યા આ વાત

ગુજરાત4 weeks ago

સગીરને ‘આજા આજા’ કહેવું જાતીય સતામણી છેઃ મુંબઈ કોર્ટ

Trending