સુશાંતના મોતના અહેવાલ બાદ સોશિયલ મીડિયા પર તેના પ્રશંસકો સ્તબ્ધ

admin
1 Min Read

બોલિવુડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતે  રવિવારે પોતાના ઘરમાં ગળે ફાંસે લગાવીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. સુશાંતસિંહના નોકરે આ અંગેની માહિતી પોલીસને આપી હતી.

સુશાંતસિંહના મોતના અહેવાલ બાદ માત્ર બોલીવુડ જગત  નહીં પણ રાજકીય નેતાઓથી લઈ તેના પ્રશંસકો પણ સ્તબ્ધ છે. બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાની ખબરે સૌ કોઇને આશ્ચર્યચકિત કરી દીધા છે.

પોલીસને તેની લાશ મુંબઇના બાંદ્રા સ્થિત ફ્લેટમાં મળી હતી. સુશાંતસિંહના મોતના અહેવાલ બાદ સોશિયલ મીડિયામાં તેના પ્રશંસકોએ તેને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ આ સમાચાર સાંભળીને તેઓ સ્તબ્ધ હોવાનું પણ જણાવ્યુ હતું.

મહત્વનું છે કે, બોલીવુડના જાણીતા યુવા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે મુંબઈ સ્થિત પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી.

માત્ર બોલીવુડજગત જ નહીં આ સમાચાર બાદ પ્રધાનમંત્રીથી લઈને અનેક બોલીવુડ અભિનેતાઓ, તેના પ્રશંસકો સહિત અનેક લોકો દુખ વ્યક્ત કરી રહ્યાં છે…

Share This Article