સુરત : બારડોલી ખાતે ગાંધી જયંતિ સંકલ્પ પદયાત્રાનું સમાપન

admin
1 Min Read

મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી નિમિતે ગાંધી સંકલ્પ પદયાત્રા આજરોજ સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠણ દેશ ભરમા સાંસદો દ્વારા ગાંધી મૂલ્યોના પ્રચાર અર્થે ગાંધી સંકલ્પ પદયાત્રાનું આરંભ કર્યો છે. ત્યારે બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા ગાંધી સંકલ્પ પદયાત્રા લઈ કામરેજ તાલુકા ના વિવિધ ગામોમાં ફરી ગાંધી મૂલ્યો થી લોકોને માહિતગાર કર્યા હતા. આ પદયાત્રા વહેલી સવારે કામરેજ તાલુકાના ભૈરવ ગામ થી શરૂ થઈ કામરેજ થઈ નનસાડ ગામે પોહચી જાહેર સભા માં ફેરવાઈ હતી અને ત્યારબાદ કોડીભરથાણા થી દિગસ ગામએ સમાપન થયું હતું. ગામે ગામ આ પદયાત્રાને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. તેમજ ઠેર ઠેર સ્વાગત કરાયું હતું. આ યાત્રામાં સાંસદ પ્રભુભાઈ સહિત કામરેજના ધારાસભ્ય વિડી ઝાલાવડીયા જિલ્લાપંચાયત પ્રમુખ પ્રીતિબેન પટેલ અને જિલ્લાપંચાયતના સદસ્ય જગુભાઈ પટેલ સહિતના આગેવાનો આ પદયાત્રામાં જોડાયા હતા.

Share This Article