સુરત- યુવાનના મોત મામલે પોલીસે 5ની અટકાયત કરી

Subham Bhatt
1 Min Read

સુરતઆ લિંબાયત મહાપ્રભુ નગરમાં ચોર સમજી માર-મારતા યુવાનની મોત મામલે પોલીસે 5 ની અટકાયત કરી છે. સુરતમાં લિંબાયત મહાપ્રભુ નગરમાં મમતા સિનેમા પાસે એક યુવકને ચોર સમજીને ટોળાએ માર મારતા સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાને પગલે લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. જેમાં પોલીસે પાંચની ધરપકડ કરી છે.

Surat: Police arrested 5 persons in connection with the death of a young man

લિંબાયત પ્રતાપ નગરમાં રહેતા 30 વર્ષીય યુસુફ મોહંમદ અંસારી 6 મેના રોજ રાત્રે ઘરેથી નીકળ્યો હતો. સવારે યુસુફ સસરાની તબિયત સારી ન હોવાથી વતન જવાનો હતો. મોડેસુધી યુસુફ ઘરે ન આવતા પરિવારે શોધખોળ કરી હતી. છતાં યુસુફનો કોઈ પત્તો ન લાગ્યો નથી. વધુમાં યુસુફ મોબાઈલ પણ રાખતો ન હતો જેથી તેને કોન્ટેક્ટ પણ કરી શકાતો ન હતો.બીજી તરફ યુસુફના સસરાનું પણ વહેલી સવારે અવસાન થયું હતું.

Share This Article