સુરત-સુરત NSUI એ વિરોધ પ્રદર્શન કર્યું

Subham Bhatt
1 Min Read

સુરતના વરાછા વિસ્તારમાં વિજ્ઞાન કોલેજ શરૂ કરવાની માંગ સાથે NSUI એ વિરોધ પ્રદર્શન કર્યું.શિક્ષણમંત્રીનો ઘેરાવો કરવાનીચિમકી આપી હતી.સરકારી વિજ્ઞાન કોલેજો ખોલવા માટે એનએસયુઆઇએ વરાછામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. એટલું જ નહીં,એનએસયુઆઇએ ચીમકી આપી છે કે આ વર્ષે સરકારી વિજ્ઞાન કોલેજ નહીં ખુલશે તો શિક્ષણમંત્રીનો ઘેરાવો કરાશે. ઉચ્ચશિક્ષણ કમિશનરની કચેરીના પરિપત્ર અનુસાર વર્ષ 2020-21માં કોલેજ શરૂ કરવાની મંજૂરી અપાય હતી. પરંતુ કોરોનાને લઈમોકૂફ કરાય હતી. વર્ષ 2022-23ના બજેટમાં કોલેજ શરૂ કરવાની જોગવાઇ કરવા શિક્ષણ વિભાગને દરખાસ્ત કરાઈ હતી.

Surat-Surat NSUI protested

વરાછામાં નવી સરકારી વિજ્ઞાન પ્રવાહની કોલેજ શરૂ કરવા મુદ્દે પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનશેરિયા દ્વારા મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી,શિક્ષણ વિભાગને નવેમ્બર-2021માં રજૂઆતો કરાઈ હતી. આ નવી કોલેજમાં આચાર્ય સહિત 17 કર્મચારીઓનો સ્ટાફનુંમહેકમ પણ મંજૂર કરાયુ છે. સરકારી કોલેજ બિલ્ડિંગ નહીં બને ત્યાં સુધી હંગામી ધોરણે એસએમસીની ખાલી શાળામાં કોલેજ શરૂ કરાશે. એવામાં જ વર્ષ 2022-23થી વિદ્યાર્થીઓએ પ્રવેશ આપવા મામલે કોઇ કાર્યવાહી નહીં દેખાતા એનએસયુઆઇએ વરાછામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Share This Article