ઈંટો ભરેલી ટ્રક પલટી જતા અકસ્માત સર્જાયો

admin
1 Min Read

બનાસકાંઠા જિલ્લામાં ગમખ્વાર અકસ્માતનો સીલસીલો હજુ જારી જ છે દસ દિવસ અગાઉ અંબાજી પાસે લક્ઝરી બસ પલટી ખાતા 24 લોકોના કરુણ મોત થયા હતા. ત્યારબાદ આજે દાંતીવાડાના મારવાડા ગામ પાસે ઈંટો ભરેલી ટ્રક પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ઈંટો ભરેલી ટ્રક દાંતીવાડા થી મારવાડા તરફ જઈ રહી હતી તે દરમિયાન અચાનક ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક પલ્ટી ખાઇ ગઇ હતી.ટ્રક પલટી ખાતા  ચાલક સહિત ચાર લોકો ઈંટો નીચે દબાઈ ગયા હતા. જેથી અકસ્માતમાં ઘટના સ્થળે જ બે લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયા હતા. આ બનાવની જાણ થતાં આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. અને ઇજાગ્રસ્ત બે લોકોને સારવાર અર્થે દાંતીવાડા પીએચસી સેન્ટર માં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત થતાં આ અકસ્માતમાં કુલ ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. આ બનાવની જાણ થતાં જ પોલીસ બનાવ સ્થળે આવી પહોંચી હતી અને મૃતકોની લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article