જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં સેનાને મળી મોટી સફળતા

admin
1 Min Read

ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં ઘુસણખોરીની કોશિશને નિષ્ફળ બનાવી છે. સેનાએ ત્રણ ઘુસખોરોને ઠાર કર્યા છે. પાકિસ્તાની આર્મી આ આતંકીઓની ભારતમાં ઘુસણખોરી કરાવવાની ઙિરાકમાં હતી જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી છે.

મળતી માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં સેનાએ આતંકી ઘુસણખોરીને નાકામ કરી છે. LoC નજીક ત્રણ પાકિસ્તાની આતંકી ઘુસણખોરીનો પ્રયત્ન કરી રહ્યા હતા. આની જાણ થતા જ જવાનોએ કાર્યવાહી શરૂ કરી છે.

આ દરમિયાન સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. આ વિસ્તારમાં તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે..મહત્વનું છે કે, ગઈ કાલ રાતથી મેંઢર અને નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની સેના તરફથી ફાયરિંગ થઈ રહ્યું હતું. મોર્ટાર પણ છોડવામાં આવતા હતાં. જેનાથી સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને નુકસાન થયું છે.

જો કે આમ છતાં પાકિસ્તાનના નાપાક ઈરાદાઓ પર પાણી ફરી વળ્યું છે. પાકિસ્તાની ઘૂસણખોરો ભારતની સરહદમાં પ્રવેશવામાં સફળ થઈ શક્યા નથી. સુરક્ષાદળોનું કહેવું છે કે જ્યાં સુધી ઘૂસણખોરોના ડેડબોડીઝ રિકવર ન કરીએ ત્યાં સુધી કેટલા ઘૂસણખોરો માર્યા ગયા છે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ તેમની સંખ્યા 3થી વધુ હોઈ શકે છે.

Share This Article