બનાસકાંઠાના થરાદની મુખ્ય નર્મદા નહેરમાંથી યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. શિવનગર નજીક પસાર થતી નર્મદા નહેર પાસે ચંપલ મળી આવતા કોઈએ પડતુ મુક્યું હોવાની આશંકાના પગલે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાંથી ધાનેરા તાલુકાના શિયા ગામના એક યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. જો કે આ હત્યા છે કે આત્મહત્યા તેને લઇને અનેક તર્કવિતર્કો સર્જાવા પામ્યા છે. થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાંથી એક અજાણ્યો મૃતદેહ તણાતા ખેડુતો અને રાહદારીઓની નજરે ચઢ્યો હતો. આ અંગે થરાદ પોલીસને જાણ કરાતાં પોલીસે થરાદ નગરપાલિકાના તરવૈયા સુલતાનમીરને જાણ કરી હતી. આથી સુલતાનમીરે કેનાલમાં શોધખોળ હાથ ધરી યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. યુવાનની ઓળખ ધાનેરા તાલુકાના શિયા ગામના રાજપુત અર્જુનસિંહ તરીકે થઈ હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે શહેરની સરકારી હોસ્પીટલમાં ખસેડી મામલાની વધુ તપાસ હાથ ધરી છે.
થરાદની નહેરમાંથી યુવકનો મૃતદેહ મળતાં ચકચાર
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.