ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાના પિતાનું નિધન

admin
1 Min Read

બોલિવૂડના જાણીતા ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાના પિતાનું નિધન થયુ છે…….. મનિષ મલ્હોત્રાના પિતા 90 વર્ષની આસપાસ હતાં અને છેલ્લાં કેટલાંક સમયથી તેમની તબિયત સારી રહેતી નહોતી. મનિષ મલ્હોત્રાના પિતાના અંતિમ સંસ્કારમાં કરન જોહર, શબાના આઝમી, સૌફી ચૌધરી, બોની કપૂર સહિતના સેલેબ્સ આવ્યાં હતાં………વાત કરીએ મનિષ મલ્હોત્રાની તો મનિષ જ્યારે 25 વર્ષના હતાં ત્યારે તેમણે પહેલી જ વાર એક્ટ્રેસ જૂહી ચાવલા માટે ફિલ્મ ‘સ્વર્ગ’માં આઉટફિટ ડિઝાઈન કર્યાં હતાં. જોકે, ફિલ્મ ‘રંગીલા’ને કારણે તેઓ ચર્ચામાં આવ્યાં હતાં. ‘રંગીલા’માં ઉર્મિલાના આઉટફિટ તૈયાર કર્યાં હતાં અને આ માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. દર વર્ષે બોલિવૂડ એક્ટ્રેસિસ મનિષ મલ્હોત્રાના આઉટફિટ પહેરીને રેમ્પ વોક કરતી હોય છે. વર્ષ 2016મા મનિષ મલ્હોત્રાએ ફિરોઝ અબ્બાસ ખાનના ‘મુઘલ-એ-આઝમ’ નાટક માટે આઉટફિટ ડિઝાઈન કર્યાં હતાં. આ નાટક ડિરેક્ટર કે. આસિફની બ્લોકબસ્ટર ફિલ્મ ‘મુઘલ-એ-આઝમ’ પર આધારિત છે.

 

 

 

Share This Article