રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા 1.76 લાખથી ઉપર પહોંચી

admin
1 Min Read
Chennai: A medic shows a sample for COVID-19 rapid tests at Rajiv Gandhi Government General Hospital during the nationwide lockdown to curb the spread of coronavirus, in Chennai, Saturday, April 18, 2020. (PTI Photo/R Senthil Kumar)(PTI18-04-2020_000084B)

ગુજરાતમાં હજી પણ કોરોનાનું સંક્રમણ યથાવત જોવા મળી રહ્યું છે. રાજ્યમાં 3 નવેમ્બર સાંજથી 4 નવેમ્બર સાંજ સુધીમાં વધુ 975 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 1,76,608 થઈ છે. તો બીજીબાજુ રાજ્યમાં એક જ દિવસમાં 1022 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

રાજ્યમાં 24 કલાકમાં વધુ 6 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 3740 થયો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 1,60,470 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 214 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 174, વડોદરામાં 111 અને રાજકોટમાં 85 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 12398 એક્ટિવ કેસ હોવાની વિગત સામે આવી છે.

Share This Article