મોરબી પંથક અને જીલ્લામાં શ્વાનોનો આતંક સતત જોવા મળે છે અને તાજેતરમાં હળવદ પંથકમાં બે દિવસમાં ૧૫ લોકોને શ્વાને બચકા ભર્યા હોય જેથી સારવાર માટે હળવદ તેમજ મોરબી હોસ્પિટલ ખસેડાયા છે. હળવદમાં ખારીવાડી, મહાદેવપરા અને વાડી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી હડકાયા કુતરાનો આતંક જોવા મળી રહ્યો છે અને બે દિવસમાં કુલ ૧૫ જેટલા લોકોને શ્વાને બચકા ભર્યા હોય જેમાંથી નવ લોકોને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં વસંત નરસિંહ,જયંતી ધોળાભાઈ,મનસુખ ત્રિભોવનભાઈ,જયશ્રીબેન પ્રતાપભાઈ,ખરમત ચતુર,ઈશ્વર ડુંગરભા,પઝાબેન ચંદેશ, રસિક ગોવિંદ અને ચંપાબેન,એમ નવ દર્દીઓને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા છે તો શ્વાનોના આતંકથી નાગરિકોમાં રોષ અને ગુસ્સો જોવા મળી રહ્યો છે.
હળવદમાં હડકાયા કૂતરાનો આતંક
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a comment
Leave a comment