વય નિવૃત આચાર્યનો વિદાય સમાંરભ યોજાયો

admin
1 Min Read

પાટણ ખાતે કે બી વકીલ વિદ્યાલયમાં છેલ્લા ઘણા વર્ષો સુધી સેવા આપી વય નિવૃત થયેલા આચાર્ય બી ડી ઝાલા નો વિદાય અને સન્માન સમારંભ યોજાયો હતો.આ પ્રસંગે ઉપસ્થિત સર્વ મહાનુભાવોએ  જણાવ્યું હતું કે શ્રી ઝાલાએ શિક્ષણ ક્ષેત્રમાં વર્ષો સુધી શિક્ષક અને આચાર્ય તરીકે આપેલી સેવા અને યોગદાન સરાહનીય છે અને તે બિરદાવા લાયક છે શ્રી ઝાલાના માર્ગદર્શન  નીચે અભ્યાસ કરીને અનેક વિધાર્થીઓ વિવિધ ક્ષેત્રોમાં માં કામ કરીને ઉચ્ચ પદવી સુધી પહોંચાયા છે. આ સમારંભમાં કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહજી વાઘેલા,જિલ્લા શિક્ષણા અધિકારી એ પી ઝાલા , જી સી આર ટી ના ડાયરેક્ટર  અશોકભાઈ ચૌધરી ,પૂર્વ ધારાસભ્ય ચમનસિંહ ઠાકોર , ભારતસિંહ ભાટેસરીયા ,અભેસિંહ ઠાકોર મદારસિંહ ગોહિલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.મહાનુભાવોએ આચાર્યને સન્માનપત્ર, અને મોમેન્ટો આપી સન્માન કર્યું હતું અને આચાર્ય  ઝાલાસાહેબના કાર્યકાળના સંસ્મરણોને વાગોળી તેમને બિરદાવ્યા હતા.

Share This Article