સૈયદપુરામાં તસ્કરોએ હાથફેરો કર્યો

admin
1 Min Read

લાલગેટ પોલીસ સ્ટેશન ની હદમાં આવેલા સૈયદપુરા માર્કેટ પાસે અલહસન એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતા હતા. ફારૂક હબીબખાન ભરૂચ જે નોકરી કરી ગુજરાન ચલાવતા આવ્યા છે. ગઈકાલે પરિવાર લગ્ન પ્રસંગે બહારગામ ગયા હોવાથી ઘર બંધ રાખ્યું હતું અને બંધ હોવાનો લાભ લઇ તસ્કરોએ કોઈક સાધન વડે દરવાજાના લોકને તોડી ઘરમાં પ્રવેશી કબાટનું લોક તોડી તિજોરીમાં મુકેલા રોકડ રૂપિયા 40,000 હજાર લઈ ભાગી છૂટયા હતા. લગ્ન પ્રસંગ માંથી ફરી ઘરે આવ્યા તો ઘરનો તાળુ તેમજ કબાટ નો લોક તૂટેલો દેખાતા તિજોરીમાં મુકેલ રૂપિયા નહીં દેખાતા ચોરી થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે ફારૂકભાઈ ગત 15મીના રોજ ફ્લેટ ચકાસી તાળું મારી ગયા હતા અને ગત સાંજે સાડા પાંચ વાગ્યે ફરી ચકાસણી માટે પહોંચ્યા ત્યારે તેમણે જે તાળું માર્યું હતું તે નકુચા સાથે કાપેલું હતું અને બીજું તાળું મારી તેની ચાવી ત્યાં જ મુકેલી મળી આવી હતી. પાડોશીને સાથે રાખી તેમણે તે તાળું ખોલી અંદર જોયું તો સામાન વેરવિખેર હતો. તસ્કરો બેડરૂમમાં મુકેલા કબાટની તિજોરીમાંથી રોકડા રૂ.40,000 ચોરી ગયા હોવાની ફરિયાદ ફારૂકભાઈએ સાઢુભાઈ સાથે વાત થયા બાદ લાલગેટ પોલીસ મથકમાં નોંધાવી હતી. વધુ તપાસ પીએસઆઇ પી આર અમીન કરી રહ્યા છે.

 

 

 

 

 

 

Share This Article