Connect with us

ધર્મદર્શન

શિવની સૃષ્ટિમાં સઘળું છે, એની બહાર કશું નથી

Published

on

એક જ સત્યને ઘણા એંગલથી જોઈ શકાય છે. શિવ તત્ત્વને પણ અનેક પ્રકારે જોવાની વિનમ્ર ચેષ્ટા આપણે ત્યાં થઈ છે. ઋગ્વેદનો એક મંત્ર છે, એમાં પાઠાંતર છે. એમાં બે પ્રકારના પાઠ મળે છે. એક પાઠમાં ‘રુદ્ર’ શબ્દ આવે છે અને બીજા પાઠમાં ‘ઇન્દ્ર’ શબ્દ આવે છે. મોટેભાગે ‘ઇન્દ્ર’ શબ્દ પ્રયોજાયો છે. મહામુનિ વિનોબાજીએ પણ ઇન્દ્રવાળો પાઠ સ્વીકાર્યો છે. એ મનીષીઓએ આપણને સંકેત આપ્યો છે કે, અહીં ‘ઇન્દ્ર’ શબ્દ જ યોગ્ય છે. એને પ્રણામ કરીને, ‘રુદ્ર’ શબ્દને પણ આપણે આદર આપીએ.શિવ સમસ્ત છે. પછી ‘રુદ્ર’ પાઠ હોય કે ‘ઇન્દ્ર’ પાઠ હોય. શિવ જ ઇન્દ્ર છે, કારણ કે બ્રહ્મ છે. વેદસ્વરૂપ છે, બ્રહ્મસ્વરૂપ છે. મનીષીઓએ એનું ભાષ્ય કર્યું છે. હે ભગવાન, હે પરમાત્મા, હે સદાશિવ, હે રુદ્ર, જે અમને દ્રવ્ય તો આપે છે, ધન તો આપે છે, પરંતુ શ્રેષ્ઠ દ્રવ્ય આપનારા અમને શ્રેષ્ઠ ધન આપો. વિપુલ માત્રામાં નિકૃષ્ટ ધન ન આપશો. મારો કહેવાનો મતલબ છે કે આપણી પરંપરામાં દ્રવ્ય માગવામાં આવ્યું છે, પરંતુ આપણને શ્રેષ્ઠ ધન મળે એવું મગાયું છે. અહીં લક્ષ્મી મળે, કચરો નહીં. એ રૂપ માગે છે. તો શિવ દિગંબર હોવા છતાં એ દેનારા છે. શ્રેષ્ઠ દેનારા મહાદેવ છે, ઇન્દ્ર કે રુદ્ર જે કહો તે.

ભગવાન શિવ પાસે માગ કરવામાં આવી છે કે, ‘ચિત્તિં દક્ષસ્ય’ એટલે કે સજ્જન લોકો જેવું ચિંતન અમને આપો, દુર્જનનું ચિંતન નહીં. સજ્જનો જેવું ચિંતન કરે છે, એવી વિચારધારા અમને પ્રાપ્ત થાય. વૈશ્ચિક વિચારધારા પ્રાપ્ત થાય, એવી માગ શિવ પાસે કરવામાં આવી છે. ‘સુભગત્વમસ્મે’, આચાર્યોએ એનો મતલબ એવો કર્યો છે કે અમારું સૌભાગ્ય વધારો. અમને ભાગ્યવાન બનાવો. અમે દુર્ભાગી ન રહીએ. તારા હોવાથી અમે ભાગ્યવાન બનીએ. કોઈ જનમમાં અમે એવી માંગ કોઈ ને કોઈ રૂપે કરી હશે ત્યારે, ‘બડે ભાગ માનુસ તનુ પાવા.’ અમે ભાગ્યવાન થયા છીએ અને મનુષ્યશરીર પ્રાપ્ત કરીને ભારતમાં આવ્યા છીએ. અમને ભાગ્યવાન બનાવો એવી શિવ પાસે માગ કરવામાં આવી. ‘પોષમ્.’ અમારું પોષણ કરો. દુનિયા અમારું શોષણ કરે છે, એટલે હે ઠાકુર, હૈ પરમાત્મા, હે સદાશિવ, અમારું પોષણ કરો. અમારું આનંદવર્ધન કરો. અમારો આનંદ અખંડ રહે, ક્ષણિક ન હોય એવી કૃપા કરો. ‘તનેનામ્.’ વેદના ઋષિ આગળ કહે છે કે અમારા શરીરને સુદૃઢ બનાવો. અમારું શરીર નીરોગી રહે, સ્વસ્થ રહે, જેથી અમે સાધના કરી શકીએ, જપ કરી શકીએ. અમે બીજાના ઉપયોગમાં આવી શકીએ. અમને એવો દેહ મળે. ‘વાચ:.’ અમને મધુર વાણી આપો. આપણે વેદ પાસે, રુદ્ર પાસે મધુર વાણી માગી હતી. ‘સત્યમ્ બ્રૂયાત્ પ્રિયમ્ બ્રૂયાત્.’ વાલ્મીકિજીએ રામજીને કહ્યું કે જે પ્રિય સત્ય બોલે એમના હૃદયમાં આપ નિવાસ કરો. આપણો પ્રત્યેક દિવસ સુદિન બને. આપણા આખા આયુષ્યના જેટલા દિવસ હોય એ પ્રત્યેક દિવસ સુદિન બને. જેટલા દિવસો આવા સત્સંગમાં જાય, લોકોનું હિત કરવામાં, બીજા સાથે પ્રીત કરવામાં, સેતુ બનાવવામાં જાય એ જ આપણા સુદિન છે. તો હે શિવ, હે ભોલેબાબા, અમે તારી સ્તુતિ કરીએ છીએ.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

ગુજરાત

રામ મંદિર નિર્માણ માટે BAPS સંસ્થાએ આપ્યું દાન….

Published

on

By

શ્રી રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ માટે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યા બાદ ભવ્ય મંદિરના નિર્માણ માટે આખા દેશમાં રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન ચાલી રહ્યું છે, જેમાં 15 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધીના પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે.

આ પ્રથમ તબક્કામાં રાજ્યના વેપારીઓ અને મહાજન મંડળોએ રામ મંદિરના નિર્માણ માટે લગભગ 100 કરોડ જેટલી નિધિ સમર્પિત કરી છે. આ અભિયાનના બીજા તબક્કામાં પણ દાનનો ધોધ વહી રહ્યો છે. અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે અનેક ધાર્મિક સંસ્થાઓ દાન કરી રહી છે, ત્યારે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 2 કરોડ 11 હજાર 11 રૂપિયાનો ચેક મુખ્યપ્રધાનને અર્પણ કરાયો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રુપાણીએ પણ બીએપીએસ સંસ્થા દ્વારા કરવામાં આવી રહેલ પ્રશંસનીય કામગીરીના વખાણ કરવામાં આવ્યા હતા. સાથે જ રામ મંદિરના કન્ટ્રક્શનમાં પણ સંસ્થા દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો હોવાની તેમણે વાત કરી હતી.

Continue Reading

ધર્મદર્શન

કુંભ મેળો : શ્રદ્ધાળુઓ માટે SOP જાહેર

Published

on

By

કોરોના કાળમાં હરિદ્વાર ખાતે યોજાનારા કુંભ મેળાને લઈ SOP જાહેર કરવામાં આવી છે જેમાં નોંધણી અને કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે. કુંભમાં પ્રવેશના 72 કલાક પહેલા RTPCR ટેસ્ટ નેગેટિવ આવે તેવા શ્રદ્ધાળુઓને જ મંજૂરી આપવામાં આવશે. સમગ્ર કુંભ મેળા ક્ષેત્રમાં કોરોના સંક્રમણથી બચાવને ધ્યાનમાં રાખીને સરકારે 10 સેક્ટર માટે SOP બહાર પાડી છે.

આ સેક્ટર્સમાં આશ્રમ, ધર્મશાળા, હોટેલ, રેસ્ટોરા અને ગેસ્ટહાઉસ, દુકાન, વ્યાપારી સંસ્થાનો, ધાર્મિક સ્થળો, સાર્વજનિક પરિવહન, વાહનો માટેના પાર્કિંગ સ્થળો, હોલ્ટિંગ પોઈન્ટ, ઘાટ, રેલવે અને બસ સ્ટેશનનો સમાવેશ થાય છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના સચિવ એસએ મુરૂગેશનના કહેવા પ્રમાણે કુંભ માટે આંતરરાજ્ય પરિવહન, નોંધણી વગેરેને લઈ ટૂંક સમયમાં જ વધુ એક SOP જાહેર કરવામાં આવશે.

માઘ પૂર્ણિમા પર 27મી ફેબ્રુઆરીના રોજ હરિદ્વારમાં કુંભનું આયોજન પ્રસ્તાવિત છે જેને લઈ સરકારે તૈયારીઓ વધારી દીધી છે. કુંભ સામેનો મુખ્ય પડકાર કોવિડનું સંક્રમણ ફેલાતું અટકાવવું તે છે અને તેને ધ્યાનમાં રાખીને જ વિભિન્ન સેક્ટર માટે SOP જાહેર કરવામાં આવી છે. કુંભમાં આવતા તમામ યાત્રિકો માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે તથા શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

Continue Reading

ગીર સોમનાથ

સોમનાથના દરિયામાં તૈયાર કરાશે કાચની ટનલ, આવો હશે નજારો…..

Published

on

By

ગીર સોમનાથના યાત્રાધામ સોમનાથમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સરકાર અને ટ્રસ્ટ કટિબદ્ધ છે. ત્યારે હવે સોમનાથના દરિયામાં કાચની ટનલ મૂકવામાં આવશે તેવા એક સમાચાર સામે આવી રહ્યા છે. પ્રવાસીઓ માટે દરિયાઇ સૃષ્ટીને નિહાળવા માટે આ ટનલ બનાવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા બાદ આ માટે ખાસ 300 કરોડની ફાળવણી કરાઇ છે.

300 કરોડના ખર્ચે પ્રવાસનને વેગ મળે તેવા પ્રોજેક્ટ હાથ ધરાયા છે. ત્રિવેણી દેહોત્સર્ગથી સમાકાઠે કેબલ બ્રિજ, વોટર સ્પોટ્સ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધાઓ ઘાટ પણ કરવામાં આવશે. પાર્કિંગ ડોરમેટરી વચ્ચે થીમ આધારિત કેવ મ્યુઝિયમ બનશે. સોમનાથ ખાતે અધ્યતન બસ સ્ટેશન પણ તૈયાર કરાશે.

યાત્રાધામને પ્રોત્સાહન આપવા તૈયાર કરાઈ રહેલ પ્રોજેક્ટોમાં સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કાચની દરિયાઇ ટનલનો છે. પર્યટકો આ ટનલમાં જઇ એક્વેરિયમની જેમ સોમનાથના દરિયાની અંદર પાણીની જીવસૃષ્ટિ નિહાળી શકશે.

તો બીજા તબક્કામાં પાર્કિંગ ડોરમેટરી વચ્ચે થીમ આધારિત કેવ મ્યુઝિયમ બનશે. જેમાં પશુ-પક્ષી, વિવિધ સંપ્રદાય ધર્મ અને બાર જ્યોતિર્લિંગના ઓડીયો વીઝ્યુલનો પ્રોજેક્ટ હાથ ધરાશે.

Continue Reading
Uncategorized10 hours ago

વડાપ્રધાન મોદીએ જાપાનના પીએમને આપી ખાસ ભેટ, જાણો તેના વિશે; વિદેશ સચિવે આ વાત કહી

Uncategorized10 hours ago

77 વર્ષથી કરી બોડી બિલ્ડીંગ, ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ, 90 વર્ષની ઉંમરે પણ અદભૂત ફિટનેસ

Uncategorized10 hours ago

જીમમાં જનારા ડોગ ફૂડ કેમ ખાય છે? તેની પાછળનું કારણ ખૂબ જ વિચિત્ર છે

Uncategorized10 hours ago

PM મોદી પર ટિપ્પણી: પવન ખેડા સામેના તમામ કેસ લખનૌ ટ્રાન્સફર, વચગાળાના જામીન 10 એપ્રિલ સુધી લંબાયા

Uncategorized10 hours ago

કેરળને મળી તેની પ્રથમ ટ્રાન્સજેન્ડર વકીલ, પદ્મા લક્ષ્મીએ એક ઉદાહરણ સેટ કર્યું

Uncategorized10 hours ago

ગુજરાતની ફરી ધ્રૂજી ધરતી, કચ્છ જિલ્લામાં આટલી તીવ્રતાનો આવ્યો ભૂકંપ

Uncategorized11 hours ago

દર મહિને 3000 રૂપિયા, 2.5 લાખ નોકરીઓ અને 10 લાખ નોકરીઓ; રાહુલ ગાંધીએ કર્ણાટકના યુવાનોને વચન આપ્યું

Uncategorized11 hours ago

મેચ દરમિયાન યુવકને આવ્યો હાર્ટ એટેક, ક્રિકેટ ગ્રાઉન્ડમાં 45 દિવસમાં 8મું મોત

Uncategorized3 weeks ago

ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ઉપયોગમાં લેવાતા ભાવના સૂચકાંકોના પ્રકારો

Uncategorized4 weeks ago

પૂલ ટેબલ હત્યાકાંડ: બ્રાઝિલમાં ગેમ હારવા બદલ ખેલાડીની હાંસી ઉડાવતા 12 વર્ષની બાળકી અને સાત પુરુષોની ગોળી મારી હત્યા કરી

ગુજરાત4 weeks ago

ફોરવર્ડ અને ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ વચ્ચે શું તફાવત છે?

Uncategorized3 weeks ago

પીએમ મોદીએ કર્યું શિવમોગ્ગા એરપોર્ટનું ઉદ્ઘાટન અને બોલ્યા આ વાત

Uncategorized3 weeks ago

વિશ્વની સૌથી લાંબી નદી ક્રુઝ MV ગંગા વિલાસ પહોંચી ડિબ્રુગઢ, 50 દિવસની સફર પૂર્ણ કરી

Uncategorized4 weeks ago

ભૂકંપ પ્રભાવિત તુર્કીથી સ્વદેશ પરત આવેલી સેનાની મેડિકલ ટીમનું સ્વાગત, આર્મી ચીફે કર્યા ખુબ વખાણ

ગુજરાત4 weeks ago

સગીરને ‘આજા આજા’ કહેવું જાતીય સતામણી છેઃ મુંબઈ કોર્ટ

Uncategorized3 weeks ago

ભારતીય વાયુસેનાની ટીમ UAE પહોંચી, બહુપક્ષીય એક્સરસાઇઝ એક્સ ડેઝર્ટ ફ્લેગમાં ભાગ લેશે

Trending