સુરત-લુંટ કરવાના ઇરાદે આવેલા ત્રણ ઈસમોએ વેપારી પર કર્યો હુમલો

Subham Bhatt
1 Min Read

સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલ ગીતા નગર પાસે લુંટ કરવાના ઇરાદે આવેલા ત્રણઈસમોએ હીરા વેપારીના પેટમાં ચપ્પુ મારી દીધું. પુણામાં 3 લૂંટારૂઓ હીરા કારખાનદાર પાસે હીરાજોવાના બહાને આવી તેને ચપ્પુ મારીને રોકડા 45 હજાર રૂપિયા અને હીરાની લૂંટ કરીને નાસીગયા હતા. હીરા વેપારીને છાતી, પેટ અને ખભાના ભાગે ઇજા થઇ હતી. પોલીસથી મળેલી માહિતીમુજબ મૂળ અમરેલીના ચલાળા ગામના વતની વિજયભાઈ અરજણભાઈ મોર હાલમાં સારોલીગામસણિયા રોડ પર ન્યુ સારોલીનગરમાં રહે છે. તેઓ હીરાનો વ્યવસાય કરે છે. પુણાના ગીતાનગરમાં એક મકાનમાં વિજયભાઇ હીરાનું કારખાનું ચલાવે છે અને ત્યાં જ ઓફિસ પણ આવેલી છે.

Three ISMOs with intent to rob Surat attacked the trader

સાંજે બનેલી ઘટનામાં વિજયભાઈ તેમની ઓફિસમાં એકલા બેઠા હતા. ત્યારે બે જણા ઓફિસમાં હીરા ખરીદવાના બહાને આવ્યા હતા. બે લોકોએ હીરા જોવા લીધા બાદ તે હીરાનું પેમેન્ટ પછીથીઆપવાનું કહ્યું હતું. ત્યારે વિજયભાઈએ ઉધારમાં હીરા આપવાની ના પાડી બતાવવા આપેલા હીરાપરત લેવાની કોશિશ કરતા બૈ પૈકી એક ઇસમે વિજયભાઈને ચપ્પુ મારી હાથના ભાગે,છાતીનાભાગે પેટના ભાગે અને જમણા ખભાની નીચે ઇજા પહોંચાડી હતી. તેઓએ ટેબલના ડ્રોઅરમાંથી 45 હજાર રૂપિયા રોકડા ઉપરાંત હીરા લૂંટ્યા હતા. તેઓ ભાગીને બહાર પહેલાથી ઉભી રિક્ષામાં બેસીનેનાસી ગયા હતા.

Share This Article