અમરેલી-કાગદડી ગામે 11 કેવી લાઈન અડી જતા બેના મોત

Subham Bhatt
1 Min Read

અમરેલી જિલ્લામાં આવેલા બગસરા તાલુકાના કાગદડી ગામે વાડી વિસ્તારમાં આજે ગુરૂવારે ઇલેક્ટ્રીકશોક લાગતાં ખેત મજૂર અને ખેડૂત બંનેના ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. ઘટનાનેપગલે બગસરા પોલીસ અને પીજીવીસીએલની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસનીકામગીરી શરૂ કરી હતી. બગસરાના કાગદડીના વાડી વિસ્તારમાં ખેતરમાં આવેલા બોરિંગ પર ખેડૂતજીવરાજ પુનાભાઈ ગઢીયા (ઉં.વ. 48) અને ખેત મજૂર રામજીભાઈ ગરાસીયા (ઉં.વ. 32) જાતે બોરિંગની મોટર બહાર કાઢતા હતા. જેમાં મોટરમાં કોઈ ફોલ્ટ હોવાને કારણે તેઓ મોટર બહાર કાઢવામાટે મથામણ કરતા હતા. ત્યારે ઉપરથી પસાર થતી ઇલેવન કેવી લાઈન અડી જવાના કારણે બંનેનાઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં.

 

Two killed in 11 KV line crossing in Amreli-Kagdadi village

શોક લાગવાના કારણે બંને જણા ફંગોળાઇને દૂર પડ્યાહોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટના બાદ આસપાસના ખેડૂતો સહિત લોકો ઘટનાસ્થળેદોડી આવ્યા હતા અને 108ને જાણ કરતાં એમ્બ્યુલન્સ પણ દોડી આવી હતી. ત્યારબાદ બંનેને પી.એમ. માટે બગસરાહોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂકરવામાં આવી છે. ખેડૂત અને ખેત મજૂરના મોત બાદ પરિવાર અને સગા સંબંધીઓ સહિત ગામમાં શોકનો માહોલ ઉભો થયોછે. ઘટનાની જાણ થતાં બગસરા પોલીસ અને પીજીવીસીએલના કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા. તેમજ કેવી રીતે શોક લાગ્યો સહિતના પ્રશ્નોને લઇને ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

Share This Article