Connect with us

મહિસાગર

સ્વતંત્રતા પર્વની ઉજવણી સમયે વીજ કરંટ લાગતા બે વિદ્યાર્થીના મોત

Published

on

આજે ગુજરાતભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી. ત્યારે મહીસાગરના સંતરામપુર તાલુકામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દુખમાં ફેરવાઈ હતી. મહીસાગરના સંતરામપુરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન બે બાળકોના મોતની ઘટના સામે આવી છે. સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન કરંટ લાગતા બે બાળકોના ઘટનાસ્થળે મોત થયા. મળતી માહિતી મુજબ મહીસાગરના સંતરામપર તાલુકાના કેણપુર ગામની હાઈસ્કૂલમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. તે દરમ્યાન સ્તંભ ઉભો કરતા સમયે વીજવાયરને અડતા કરંટ લાગ્યો હતો. વીજ વાયર સ્તંભ સાથે અડતા વિદ્યાર્થીઓને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા ઘટના સ્થળે દિપક રાણા અને ગણપત વળવાઈનું મોત નિપજ્યું. આ ઘટના બાદ વિદ્યાર્થીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાઈસ્કૂલની બિલ્ડીંગ પરથી જીવંત વાયર પસાર થતો હતો. આ દરમ્યાન ઝરમર ઝરમર વરસાદ પણ વરસતો હતો અને તે વખતે બાળકોને લોખંડની પાઈપ ઊભી કરવા માટે કહેવામાં આવ્યું હતું. આવા સમયે જો સ્કૂલ તરફથી ધ્યાન રાખવામાં આવ્યું હોત તો કદાચ આ બાળકોનો જીવ બચી ગયો હોત. બે બાળકોના મોતથી તેમના પરિવાર માટે આજે તહેવારની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

મહિસાગર

મહીસાગર જિલ્લામાં દિવડા કોલોની- લુણાવાડાના જોખમી સૂકા વૃક્ષો કપાતા નથી.

Published

on

Dangerous dry trees of Divada Colony-Lunawada are not cut down in Mahisagar district.
દીવડાક લોનીથી લુણાવાડા માર્ગ વચ્ચે આવેલા સુકા વૃક્ષો કાપવામાં તંત્રની ઉદાસીનતા દાખવી રહી છે. નવો માર્ગ બન્યા બાદ 900 જેટલા લીલાછમ વૃક્ષો કટિંગ માટે મંજુરી માંગવામાં આવી છે. પરંતુ સુકા ભેગું લીલું બળવાના ઈરાદે ખરેખર જોખમી સુકા વૃક્ષોનું નિકંદન પણ ચોમાસુ આવવા છતાં ખોરંભે પાડવામાં આવી રહ્યું હોવાની શંકાઓ સ્પષ્ટ જોવા મળી રહી હતી. લુણાવાડા અને કડાણા તાલુકા સાથે જોડતા માર્ગનું એક વર્ષ અગાઉ નવીનીકરણ કરી પહોળો કરવામાં આવ્યો હતો.
જેમાં લુણાવાડાથી મલેકપુર સુધીના માર્ગની બન્ને બાજુ આવેલ 1000 જેટલા ઘટાદાર અને લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું હતું. જ્યારે મલેકપુરથી દીવડા કોલોની સુધી આવતા રસ્તાની બન્ને બાજુએ આવેલા 900 ઉપરાંત વૃક્ષો કટિંગ માટે તંત્ર દ્વારા મંજુરી માગવામાં આવી છે. જેમા માર્ગ અને મકાન વિભાગ તેમજ વન વિભાગના સંકલનના અભાવે આ કામગીરી ખોરંભે પડી હોવાનું જોવા મળી રહ્યુ છે.
Dangerous dry trees of Divada Colony-Lunawada are not cut down in Mahisagar district.
પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ માર્ગની બન્ને બાજુ જે વૃક્ષો સુકા અને અકસ્માત સર્જે તેવા છે. તેમને પણ તંત્ર દ્વારા દુર કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે.આ માર્ગ પર મલેકપુરથી સંઘરી વચ્ચે આવેલા 50 જેટલા સૂકા વૃક્ષોને કારણે ભુતકાળમાં ઘણા અકસ્માતો સર્જાય ચુક્યા છે. જેમા વાહન ચાલકોને ગંભીર ઈજાઓ તથા મૃત્યુ પણ પામ્યા છે. ઘણા વાહનોને મોટું નુકસાન થયું હતું.ત્યારે આગામી દિવસોમાં ચોમાસુ આવી રહ્યું છે ત્યારે ભારે પવન તથા વાવાઝોડામા આ સુકા અને જોખમી વૃક્ષો ગમે ત્યારે તુટીપડેતો વાહન અને વાહન ચાલકો માટે અકસ્માત સર્જી શકે છે. ત્યારે સુકા ભેગું લીલું બાળવાની નીતિમાં ખોરંભે પાડેલી કામગીરીને બંને વિભાગ દ્વારા સંકલનમા રહી સૌ પ્રથમ આ સુકા જોખમી વૃક્ષોનું ચોમાસા અગાઉ દુર કરવામાં આવે તેવી માંગ પ્રજામાં ઉઠવા પામી હતી.

Continue Reading

મહિસાગર

લુણાવાડા 42 પાટીદાર સમાજ ઘર ખાતે MGVCL દ્વારા ખેડૂતોને PM કુસુમ યોજનાના માર્ગદર્શન માટે સેમિનાર યોજાયો.

Published

on

A seminar was organized by MGVCL at Lunawada 42 Patidar Samaj Ghar to guide farmers on PM Kusum Yojana.

લુણાવાડા ખાતે આવેલ 42 પાટીદાર સમાજ ઘર ખાતે mgvcl દ્વારા ખેડૂતોને pm કુસુમ સોલર પેનલ યોજનાના માર્ગદર્શન મલિ રહે તે માટે સેમિનાર ની આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ખેડૂતો પોતાના ખેતરમાં કઇકઈ સોલર પેનલ લગાવી અને વીજ ઉત્પાદન કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું હતું ઉપરાંત સરકાર દ્વારા આ યોજનાની સબસીડી આપવામાં આવે છે તે વિશે માહિતી આપવામાં આવી હતી

A seminar was organized by MGVCL at Lunawada 42 Patidar Samaj Ghar to guide farmers on PM Kusum Yojana.

ઉપરાંત યોજનાથી થતા લાભ અને ફાયદા છે તેના વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.અને ખેડૂતો ને આ સોલર પેનલ પોતાના ખેતર  લગાવવા માટે અપીલ કરવામાં આવી હતી અને જો આ સોલર પેનલ ખેડૂતો લગાવશે તો વીજળી જેવી સમસ્યા છે તેના થી રાહત મળશે તેમ mgvcl દ્વારા જણાવામાં આવ્યું હતું.

 

 

Continue Reading

મહિસાગર

મહીસાગર લુણાવાડા રામ પટેલના મુવાડા ગામ પાસે તળાવ ભરવાની યોજનાની પાઇપ લાઈનમાં લીકેજ થતાં લાખો લિટર પાણીનો વેડફાટ.

Published

on

Millions of liters of water leaked due to leakage in the pipeline of the lake filling scheme near Muwada village of Mahisagar Lunawada Ram Patel.
તળાવો ભરવા માટે જે યોજના અમલમાં મુકવામાં આવી છે તે અંતર્ગત રામ પટેલના મુવાડા સુધી પાઇપ લાઇન દ્વારા તળાવ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તે અંતર્ગત પાઇપ લાઇન પણ લાંબી કરવામાં આવી હતી અને તેમાં તળાવ ભરવા માટે જે પાણી છોડવામાં આવ્યું હતું.ત્યારે અહીં રામ પટેલના મુવાડા પાસે તળાવો માં પાઇપ લીકેજ હોવાના કારણે લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો
Millions of liters of water leaked due to leakage in the pipeline of the lake filling scheme near Muwada village of Mahisagar Lunawada Ram Patel.
અને પાણી આસપાસ ના ખેતરો માં ફેરવાયું હતું. તંત્ર ની અણ આવડત ને કારણે લાખો લિટર પાણીનો જે વેડફાટ છે જે લુણાવાડા તાલુકાના જોવા મળ્યું હતુ અને તાત્કાલિક આ લીકેજ ને રિપેર કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે.એક તરફ ભર ઉનાળે ખેડૂતો ને સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યુ અને બીજી તરફ લાખો લિટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. તંત્રની અણ આવડત ને કારણે આ સમસ્યા  સર્જાઈ હતી તેવું લોકોમાં જણાઈ રહ્યું છે.

Continue Reading
Uncategorized31 mins ago

વારાણસી પહોંચ્યા પીએમ મોદી, એરપોર્ટ પર સીએમ યોગી તેમનું સ્વાગત કરવા હાજર

Uncategorized57 mins ago

ઓફિસની દિશા બદલો, બદલાઈ જશે તમારું ભાગ્ય, જાણો શું કહે છે વાસ્તુ

Uncategorized15 hours ago

મહારાષ્ટ્ર, ગુજરાત અને એમપીમાં 7 સ્થળો પર દરોડા, ગઝવા-એ-હિંદ વિરુદ્ધ કાર્યવાહી

Uncategorized15 hours ago

મહિન્દ્રા ઈલેક્ટ્રિક કાર પર મોટો દાવ લગાવશે, $1.3 બિલિયન એકત્ર કરશે, જાણો સંપૂર્ણ વિગતો

Uncategorized15 hours ago

એક જમાનામાં ભારતીયોને મસૂરી જવાની પરવાનગી ન હતી… અને આ સ્થળનું નામ કંઈક આ પ્રકારનું હતું.

Uncategorized15 hours ago

હવે ડેસ્કટોપ યુઝર્સ પણ ગ્રુપ કોલ કરી શકશે, વોટ્સએપે એક નવું અપડેટ બહાર પાડ્યું છે

Uncategorized16 hours ago

ઉત્તરાખંડનું એક અનોખું સ્થળ, જ્યાં લોકો ઉનાળાની મુલાકાત લેવા માટે રાહ જુએ છે, તેનું નામ પણ ક્યારેય સાંભળ્યું નહિ હોય

Uncategorized16 hours ago

Ramadan 2023: રમઝાન મહિનામાં ફિટ રહેવા માટે આ 5 રીતોને અનુસરો

Uncategorized3 weeks ago

ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ઉપયોગમાં લેવાતા ભાવના સૂચકાંકોના પ્રકારો

Uncategorized4 weeks ago

પૂલ ટેબલ હત્યાકાંડ: બ્રાઝિલમાં ગેમ હારવા બદલ ખેલાડીની હાંસી ઉડાવતા 12 વર્ષની બાળકી અને સાત પુરુષોની ગોળી મારી હત્યા કરી

ગુજરાત4 weeks ago

ફોરવર્ડ અને ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ વચ્ચે શું તફાવત છે?

Uncategorized4 weeks ago

પીએમ મોદીએ કર્યું શિવમોગ્ગા એરપોર્ટનું ઉદ્ઘાટન અને બોલ્યા આ વાત

Uncategorized3 weeks ago

વિશ્વની સૌથી લાંબી નદી ક્રુઝ MV ગંગા વિલાસ પહોંચી ડિબ્રુગઢ, 50 દિવસની સફર પૂર્ણ કરી

Uncategorized4 weeks ago

ભારતીય વાયુસેનાની ટીમ UAE પહોંચી, બહુપક્ષીય એક્સરસાઇઝ એક્સ ડેઝર્ટ ફ્લેગમાં ભાગ લેશે

Uncategorized4 weeks ago

ઓરેવા કંપની મૃતકોના પરિજનોને 10-10 લાખનું વળતર આપશે, ગુજરાત હાઈકોર્ટનો આદેશ

Uncategorized3 weeks ago

સરકારી કર્મચારીઓના પગારમાં 17 ટકાનો વધારો, 4 કલાકની હડતાળ બાદ સરકાર ઝૂકી

Trending