વડોદરા : ઈ.વી.એમ હટાવોનાં સંદર્ભે પગપાળા નીકળ્યો યુવાન

admin
1 Min Read

દેશમાં લોકતંત્રની ચૂંટણીમાંથી .વી.એમ દૂર કરવામાં આવે તેવી માંગણી સાથે ઓમકારસિંગ ધીલ્લોન ઉતરાખંડથી દિલ્હીના 6000 કિલોમીટરના પ્રવાસે નીકળ્યા છે. તેઓ ઉત્તરાખંડના રુદ્રપુરથી નીકળ્યા બાદ મુરાદાબાદ, ગાઝિયબાદ, દિલ્હી, ગુંડગાવ, જયપુર, ઉદયપુર, અમદાવાદ થઈ આજે વડોદરા આવી પહોંચ્યા હતા. શહેરમાં છાણી ખાતેથી તેઓએ પ્રવેશ મેળવી સમા, ચાણક્યપુરી, મંગલપાંડે બ્રીજ, મુક્તાનંદ, સંગમ ચાર રસ્તા, ચાંપાનેર દરવાજા, માંડવી, પ્રતપનગર, સુશેન ચાર રસ્તા થઈ માણેજા ક્રોસિંગ પહોંચ્યા હતા. પોતાની યાત્રા દરમિયાન તેઓ આજે વડોદરામાં રાત્રી રોકાણ કરશે જે બાદ કાલે સવારે કરજણ તરફ રવાના થશે. પોતાની યાત્રા દરમિયાન તેઓ ભરૂચ, કામરેજ, વલસાડ, વાપી થઈ ગુજરાતનો પ્રવાસ પૂર્ણ કરશે. જે બાદ મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ થઈ દિલ્હી પહોંચશે. જ્યાં .વી.એમ હટાવવાની માંગણી સાથે લોકતંત્રના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ રજૂઆત કરશે.

Share This Article