વડોદરા : પ્રતાપપુરા ગામમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો

admin
1 Min Read

વડોદરાના પ્રતાપપુરા ગામમાં ખાટલામ‍ાં આરામ કરી રહેલા એક યુવાનની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના પ્રતાપપુરા ગામમાં ખાટલામાં સુતેલા 40 વર્ષીય યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રતાપુરા ગામમાં રહેતા અર્જુનસિંહ ચૌહાણ નામનો યુવાન જ્યારે ખાટલામ‍ાં નિંદ્રાધીન અવસ્થામાં હતો ત્યારે

ગત મોડીરાત્રે કોઈ અજાણ્યા ઈસમોએ બોથડ પદાર્થ વડે હુમલો કરી મોત આપી તેના મૃતદેહને ખેતરોમાં ફેંકી દીધો હતો. મૃતકના શરીર પર ઇજાઓ જોતા પોલીસે હત્યાનું અનુમાન લગાવ્યું છે. પોલીસને જાણ થતા ડેસર પોલીસ ઘટનાસ્થળે પહોંચીને અજાણ્યા હુમલાખોરોને શોધવા તેમજ હત્યાનું કારણ શોધવા કવાયત હાથ ધરી છે. હુમલાખોરોના સગડ શોધવા પોલીસે ડોગ સ્કોવડની પણ મદદ લીધી છે. ઘટના સ્થળે હજુ સુધી પોલીસ હત્યાના ચોક્ક્સ તારણ પર પહોંચી શકી નથી. યુવાનના મોત પાછળ હાલ તો રહસ્યના તાણાવાણા ગુંથાઇ ગયા છે.

Share This Article