બે ટર્મ સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહી ચુકેલ પીઢ નેતા કેશુભાઈ પટેલનું નિધન

admin
1 Min Read

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે નિધન થયું છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં કેશુભાઈ પટેલનું ખૂબ મહત્ત્વનું યોગદાન રહ્યું છે.

શ્વાસ લેવામાં તકલીફ ઊભી થયા બાદ આજે તેમને સારવાર માટે સ્ટર્લિંગ હૉસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમનું નિધન થયું હતું. હૉસ્પિટલ ખાતે જ તેમણે અંતિમ શ્વાસ લીધા છે. કેશુભાઈ પટેલનું ગુજરાતની રાજનીતિમાં બહુ મોટું યોગદાન રહ્યું છે. કેશુભાઈ પટેલ બે ટર્મ સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા છે.

નોંધનીય છે કે, કેશુભાઈ પટેલને થોડા સમય પહેલા કોરોના થયાં બાદ છેલ્લા કેટલાક સમય પહેલા ફેફસાં અને હૃદયની પણ તકલીફ ઉભી થતાં તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે શહેરની સ્ટર્લિન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું નિધન થયું હતું.

Share This Article