રાજ્યના કયા 9 જિલ્લાને કેન્દ્રએ રેડ ઝોનમાં મુક્યા? જાણો તમારો જિલ્લો કયા ઝોનમાં

admin
2 Min Read

વીઓ – ગુજરાતમાં કોરોના પોઝિટિવની સંખ્યા ભારતમાં મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ છે. 214ના મોત અને 4395 કેસ સાથે મહારાષ્ટ્ર બાદ ગુજરાત કોરોના સંક્રમિત બીજા નંબરનું રાજ્ય બન્યું છે. ત્યારે કેન્દ્ર સરકારે રાજ્યો સાથે મળીને કોરોનાના સંક્રમણને આધારે ગ્રીન, રેડ અને ઓરેન્જ જિલ્લાઓનું લિસ્ટ જાહેર કર્યું છે.

જેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, આણંદ સહિત કુલ 9 જિલ્લાને રેડ ઝોનમાં મુકવામાં આવ્યા છે. તો મોરબી, અમરેલી, પોરબંદર, જુનાગઢ અને દેવભૂમિ દ્વારકાને ગ્રીન ઝોનમાં મુક્યા છે. દેશભરમાં 3જી મેથી લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે આ સંદર્ભે ચર્ચા કરી હતી. તેમજ કોવિડ 19ની ટીમ અને કેન્દ્રની આરોગ્ય ટીમ દ્વારા દરેક રાજ્યના આરોગ્યમંત્રી અને આરોગ્ય સચિવ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો અને કોરોનાગ્રસ્ત જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચ્યા છે.

કેન્દ્ર સરકાર પણ લોકડાઉન બાદ ઝોન આધારે જિલ્લાઓમાં છૂટછાટ અને કડક અમલ કરાવી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એડ્વાઇઝરી પ્રમાણે ગુજરાતના 9 જિલ્લા રેડ ઝોનમાં, 19 જિલ્લા ઓરેન્જ ઝોનમાં અને 5 જિલ્લા ગ્રીન ઝોનમાં આવે છે. રેડ ઝોનમાં કડક અમલ કરાવવામાં આવશે, જ્યારે ઓરેન્જ ઝોનને થોડીક છૂટછાટ મળી શકે છે. તેમજ ગ્રીન ઝોનને ઓરેન્જ કરતા થોડી વધુ આંશિક રાહત મળી શકે છે..

ગ્રીન  ઝોન

અમરેલી, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને મોરબી

ઓરેન્જ ઝોન

ડાંગ,  સાબરકાંઠા,  જામનગર, સુરેન્દ્રનગર,  તાપી,  ગીર-સોમનાથ, નવસારી, કચ્છ, દાહોદ,  વલસાડ, ખેડા, પાટણ, મહેસાણા, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, રાજકોટ, ભરુચ અને બોટાદ

રેડ ઝોન

અમદાવાદ, ગાંધીનગર,  વડોદરા, સુરત,  આણંદ,  બનાસકાંઠા, ભાવનગર,  પંચમહાલ અને અરવલ્લી

Share This Article