NEET-JEE પરીક્ષા રદ્દ થશે કે નહીં? સુપ્રીમે છ રાજ્યોની અરજી પર શું કહ્યું

admin
1 Min Read

જેઈઈ-નીટ પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે 6 રાજ્યોની રીવ્યૂ પીટિશનને ફગાવી દીધી છે. જેઈઈ-નીટ પરીક્ષાને ટાળવા માટે કરવામાં આવેલ આ અરજી ફગાવતા હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ પરીક્ષા તેના નક્કી કરાયેલા સમય મુજબ જ યોજાશે. જોકે, સુપ્રીમ કોર્ટે આ પહેલા પણ આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધુ હતું.

ત્યારે સુપ્રીમ કોર્ટે શુક્રવારે NEET અને JEE પરીક્ષા મોડી લેવા મામલે દાખલ કરેલી એક સમીક્ષા અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે જણાવ્યું કે, નીટ અને જેઇઇની પરીક્ષા નક્કી કરેલા સમય પર જ થશે.

આપને જણાવી દઈએ કે, ગત મહિને દેશના 6 રાજ્યોએ સુપ્રીમ કોર્ટનો આ મામલે દરવાજો ખખડાવ્યો હતો. જેમાં સપ્ટેમ્બરમાં NEET અને JEE પ્રવેશ પરીક્ષા કરવા માટે કેન્દ્રની અનુમિતિ આપવા પછી પોતાના આદેશની સમીક્ષા કરવાની માંગ કરવામાં આવી હતી. આ રાજ્યોમાં પંજાબ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર સામેલ હતા.

મહત્વનું છે કે કોરોના મહામારીમાં નીટ અને જેઈઈ પરીક્ષાને લઈ છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક રાજ્યોમાં વિદ્યાર્થી સંગઠન દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. તેમજ વિપક્ષ દ્વારા પણ આ પરીક્ષા રદ્દ કરવા તેમજ પાછી ઠેલવાની માંગ કરવામાં આવી ચુકી છે.

Share This Article