દાહોદમાં યુવકે કરી આત્મહત્યા

admin
1 Min Read

દાહોદ શહેરના બી કેબીન વિસ્તારમાં યુવકે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના બી કેબીન વિસ્તારમાં આવેલ નવીન પાણીની ટાંકી પરથી કૂદકો મારી યુવકે આત્મહત્યા કરી છે. આત્મહત્યા કરનાર યુવક ઝાલોદ ગામનો હોવાનું બહાર આવ્યું છે. ક્યા કારણોસર યુવકે આત્મહત્યા કરી તે અંકબંધ છે. આ આત્મહત્યા અંગે તપાસ રેલવે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. એમ પણ દિવસેને દિવસે રાજ્યમાં આત્મહત્યાના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આપને દઈએ કે, ભારતમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે તે સાથે ગુજરાતમાં પણ આત્મહત્યાના બનાવો ઓછાં થતા નથી. ગુજરાતમાં આખા ભારતમાં ટકાવારી પ્રમાણ કાઢવામાં આવ્યું તેમાં ગુજરાતમાં પ્રમાણ 5.5 ટકા છે. જે આખા ભારતમાં નવમાં સ્થાન પર છે. ગુજરાતમાં ગત વર્ષે કુલ 7225 લોકોએ આત્મહત્યા કરી હતી.

Share This Article