કાંકરેજ તાલુકાના ચીમનગઢ ગામની સીમમાં ખેતરમાં સુતેલા એક ૩૫ વર્ષીય યુવકની કુહાડીના ઘા મારી હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. રાજસ્થાનના મજુરે નાણાં લેવડ દેવડમાં ઘટનાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ અંગે ગૂનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કાંકરેજ પંથકમાં ભારે અરેરાટી પ્રસરાવનારી ઘટનાની પ્રાપ્ત થતી વિગતો અનુસાર ચીમનગઢ ગામની સીમમાં આવેલ ખેતરમાં દિનેશભાઇ રાયમલભાઈ કાથરોટીયા(ઉ.આ 35) કપાસમાં પિયત કરવા સોમવારે રાત્રીના સમયે ગયા હતા. જેઓ રાત્રે ખાટલામાં સુઈ રહ્યા હતા. ત્યારે કૈલાસભાઈ આદિવાસી (રહે. થોબાવડા, જાડોલ, જી.ઉદપુર, રાજસ્થાન)એ પૈસાની લેવડદેવડ બાબતે તપાડાના છાપરા નીચે લઇને લોખંડની કુહાડી વડે હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. મંગળવારે સવારે પરિવારજનોને જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ બાબતે શિહોરી પોલીસને જાણ કરાઈ હતી.તેમજ મૃતકની લાશને શિહોરી રેફરલ ખાતે પી.એમ અર્થે લવાઈ હતી.આ અંગે સુરેશભાઈ રાયમલભાઈ ચૌધરીએ શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુના.રજી. નં.૬૮/૧૯ આઈ.પી.સી કલમ ૩૦૨ મુજબ હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.જેની તપાસ શિહોરી પી.એસ.આઈ ચલાવી રહ્યા છે.
કાંકરેજના ચીમનગઢમાં યુવકની કરપીણ હત્યા..
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.