વડાપ્રધાને ધંધા અને ઉદ્યોગ માટે પેકેજ જાહેર કર્યું, જામનગરનાં સંસદસભ્યએ સરકારનો માન્યો આભાર

admin
1 Min Read

સમગ્ર દેશમા કોરોના વાયરસની મહામારીના કારણે લોકડાઉનની સ્થિતિ છે. તેવામાં વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રના ધંધા-ઉદ્યોગ-રોજગાર માટે રૂપિયા ૨૦ લાખ કરોડનું પેકેજ જાહેર કરતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમે તેમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ આ પેકેજને હાલના મહાસંકટમાં કવચ સમાન ગણાવી જનકલ્યાણકારી નિર્ણય બદલ કેન્દ્રસરકારનો પણ આભાર વ્યક્ત કર્યો છે.

ભારતના દીર્ઘદૃષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા “આત્મનિર્ભર ભારત” માટે જાહેર કરાયેલું 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ સમગ્ર ભારતીયો માટે કોરોના મહાસંકટના કહેરમાં આર્થિક કવચ સમાન બની રહેશે, તેમ સંસદસભ્ય પૂનમબેન માડમે જણાવીને આ નોંધપાત્ર પેકેજ ભારતના અર્થતંત્રમાં પ્રાણ પુરનારૂ ગણાવ્યુ છે. તેમજ દરેક સ્તરના ઉદ્યોગો માટે ગતિશીલતા લાવનારૂ આ પેકેજ રાષ્ટ્રને પ્રગતિ સાથે વિકાસની ગતિ ઉપર લઇ જનારૂ ગણાવી સંસદસભ્ય પૂનમબેન માડમે આ જનકલ્યાણકારી નિર્ણય લેવા બદલ કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે.

Share This Article