પાટણ : રાધનપુરના એસટી ડેપો ખાતે કોરોના વેકસીનનું આયોજન

admin
1 Min Read

દેશમાં કોરોનાએ માઝા મુકી છે ત્યાંરે સરકાર દ્વારા કોરોના વેકસીન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે ને લઈ  રાધનપુર ડેપો ખાતે તાલુકા હેલ્થ સેન્ટર ના મેડિકલ ઓફિસર શ્રી અનુરાધાબેન એન. પ્રજાપતિ તથા અર્બન સુપરવાઈઝર શ્રી એન.બી. ડાભી અને મેડિકલ સ્ટાફની મદદ થકી ડેપોમેનેજર રાધનપુર, રઘુવીરસિંહ. પી. ચૌહાણની હાજરીમા સરકાર શ્રી ની ગાઈડલાઈ મુજબ 45 વર્ષ ના રાધનપુર ડેપો ખાતે ફરજ બજાવતા ડ્રાયવર/કંડકટર અને મિકેનિક કર્મચારીઓને કોરોના વેકસીન ના પ્રથમ ડોઝ આપવાની કામગીરી કરવામાં આવી હતી.

 

 

જેથી કરી ને હાલ મા ફેલાયેલ કોરોના મહામારી સામે સતત પોતાની ફરજ બજાવતા રાધનપુર ડેપોના કર્મઠ કર્મચારીઓને પણ રક્ષણ મળી શકે આ ઉમદા કામગીરી અને સહકાર બદલ રાધનપુર ડેપો તાલુકા હેલ્થ અને સરકારશ્રી નો ખુબ આભાર માન્યો હતો..

Share This Article