જામનગર : જિલ્લામાં લારીધારકો માટે વિનામૂલ્યે છત્રી/શેડની યોજના અમલમાં

admin
1 Min Read

જામનગર જિલ્લાના તમામ તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ ફળ, શાકભાજી તથા નાશવંત બાગાયત-કૃષિ પેદાશોનું વેચાણ કરતા રોડસાઇડ પાથરણાવાળા, લારીવાળા, ફેરિયાઓને તેમજ નાના વેચાણકારો માટે વર્ષ ૨૦૨૧ માટે વિનામૂલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવા માટેની યોજના અમલમાં છે. ત્યારે આ યોજના હેઠળ કુટુંબ દીઠ પુખ્ત વયની એક વ્યક્તિને જ લાભ મળવાપાત્ર થશે.

આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓએ આઈ-ખેડુત પોર્ટલ ધ્વારા તા.૧૫/૦૭/૨૦૨૧ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે અને તેની સહી કરેલી નકલ તથા જરૂરી સાધનિક પુરાવાઓ રેશનકાર્ડ અને આધારકાર્ડની નકલ તથા સંબંધિત ગ્રામ્ય વિસ્તાર માટે ગ્રામ સેવક/તલાટી કમ મંત્રીનો દાખલો તથા શહેરી વિસ્તાર માટે જે તે અર્બન લાઇવલી હુડ મિશનનો ફળ, ફૂલ, શાકભાજી કે કૃષિ પેદાશોનું વેચાણ કરતા હોવા અંગેનો દાખલો કે ઓળખપત્ર સહિતની અરજી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવાસદન-૪, પ્રથમ માળ, રૂમ.નં. ૪૮, સુભાષ પુલ પાસે, જામનગર ફોનનં.૦૨૮૮-૨૫૭૧૫૬૫ ખાતે પહોંચાડવાની રહેશે.

Share This Article