જામનગર : તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન ચેતના આંદોલન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો

admin
2 Min Read

જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી જીવણભાઈ કુંભરવાડીયા તથા તથા AICC મેમ્બર શ્રીમતી શહેનાઝબેન બાબી તથા પૂર્વ સાંસદ અને ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડીયા તેમજ કોંગ્રેસ સમિતિના દરેક હોદેદારો અને કાર્યકરો અને વરિષ્ઠ આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાયૅક્રમ ની શરૂઆત વંદેમાતરમ્ ગીત થી ચાલુ કરેલ ત્યાર બાદ કોરોના મહામારી માં જે પરિવાર ના સદસ્યો મૃત્યુ પામેલા લોકો ને મૌન રાખી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી, ત્યારબાદ મહેમાનો નું પુષ્પગુચ્છ થી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ વડીલ વંદના કાર્યક્રમ માં કૉંગ્રેસ પક્ષ માં ભૂતકાળમાં સંગઠન માં કામ કર્યું હોઈ અથવા ચૂંટણી લડેલા હોઈ તેવા વરિષ્ઠ આગેવાનો ને શાલ ઓઢાડી ને પુષ્પગુચ્છ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય અધ્યક્ષશ્રી અમિતભાઈ ચાવડા સાહેબ ની સુચના મુજબ આ ભારતીય જનતા પાર્ટીના અણઘડ વહીવટ અને દરેક ક્ષેત્રમાં ફેઈલ થયેલ સરકાર ની નિતિ રીતી થી અવગત કરવામાં આવેલ અને ઠરાવો નંબર એક થી ચાર નું વાંચન કરીને દરેક હોદેદારો અને કાર્યકરો દ્વારા ટેકો આપી પસાર કરવામાં આવ્યા હતા. આ કાયૅક્રમ બાદ જીલ્લા કોંગ્રેસ સમિતિના કાયૉલય લીમડા લાઈન ખાતે થી રેલી સ્વરૂપે લાલબંગલા સકૅલ તથા ટાઉન હોલ ખાતે વિવિધ બેનરો અને ઝંડા અને સુત્રોચ્ચાર કરી ને રેલી યોજી અને પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજી ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી ને આ ભ્રષ્ટાચા‌રી ભાજપ સરકાર ને સદ્બુદ્ધિ આપે તેવી પ્રાર્થના સાથે રેલી પરત જીલ્લા કોંગ્રેસ સમિતિના કાયૉલય લીમડા લાઈન ખાતે આવી હતી.

Share This Article