પાટણ : તિરૂપતિ માર્કેટમાં રાત્રીના સમયે ચોરીનો થઇ, પેટ્રોલિંગ વધારવા વેપારીઓની માંગ

admin
1 Min Read

જિલ્લામાં ચોરીના બનાવો સતત વધી રહ્યા છે.ત્યારે પાટણ શહેરના બગવાડા દરવાજા નજીક આવેલ તિરૂપતિ માર્કેટમાં રાત્રીના સમયે ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.આ વિસ્તારમાં અવાર નવાર ચોરીના બનાવ બની જોવા મળતા હોય છે.ત્યારે બે દિવસ અગાઉ તિરુપતિ માર્કેટમાં આવેલ મંદિરમાંથી વસ્તુઓની ચોરી થઈ હતી. ત્યારે તના સમયે તિરુપતિ માર્કેટમાં આવેલ પુજારા મોબાઈલની દુકાન બહાર 8:10 કલાકના સમયગાળા દરમિયાન બહાર લગાવેલ CCTV કેમેરો અને બે એલ.ઇ.ડી લાઈટ અજાણ્યા શખ્સ એક્ટિવા પર આવી ચોરી કરી રફુચક્કર થઈ ગયો હતો .

સમગ્ર ઘટના દુકાનની અંદર લગાવેલ સીસીટીવીમાં કેદ થઈ હતી . વહેલી સવારે વેપારી દુકાનમાં આવતા ચોરી થઈ હોવાનું માલુમ પડતાં સીસીટીવી ચેક કરતા ઘટના બહાર આવતા આ મામલે દુકાન માલિક દ્વારા પોલીસ મથકમાં ફૂટેજ સાથે કાર્યવાહી કરવા અરજી આપી હતી . તિરૂપતિ માર્કેટમાં ચોરીની ઘટનાઓ વધતાં પેટ્રોલિંગ વધારવા વેપારીઓની માંગ ઉઠી છે.

Share This Article