પાટણ-જિલ્લાના તલાટીમંત્રી ઓએ આપ્યું આવેદન

admin
1 Min Read

પાટણ જિલ્લાના રાધનપર ખાતે તાલુકાના તલાટીક્મ મંત્રીઓએ આજે રાધનપુર ખાતે નાયબ કલેકટર મામલતદાર કચેરી ટીડીઓને પોતાના પડતર પ્રશ્નોને લઇને આવેદન આપવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના તમામ તલાટીઓએ આવેદનપત્ર આપ્યું હતું. ગુજરાત રાજ્ય તલાટીકમમંત્રી મહામંડળના આદેશ મુજબ રાધનપુર તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા તલાટીકમ મંત્રીઓની પડતર માંગણી બાબતે પ્રાંત અધિકારી રાધનપુરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જિલ્લાના તલાટીમંત્રીઓએ માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી આગામી મહિના દરમ્યાન તબક્કાવાર કરવાના થતા કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી. જેમાં તાલુકાના સમગ્ર તલાટી કમ મંત્રીઓ હાજર રહ્યા હતા

Share This Article