દાહોદ-પેટ્રોલ પંપ પર થયેલ લૂંટન ભેદ ઉકેલી કાઢતી પોલીસ

Subham Bhatt
3 Min Read

દાહોદના દે. બારીયા ખાતે ધોળે દિવસે બનેલ લૂંટના બનાવમાં ચોકાવનારી વિગતો બહાર આવીછે. પેટ્રોલ પંપના મેનેજરે પંપની સિલ્લકમાંથી અંગત કામે વાપરી નાખેલા નાણાં ભરપાઈ ન કરીશકતા પેટ્રોલ પમ્પના કર્મચારીના નામે અન્ય વૈપારી પાસેથી ઉછીના લીધેલા રૂપિયા ચૂકવવાનીતારીખ નજીક આવી જતા કેટલાક મિત્રોની મદદથી ફિલ્મી ઢબે લૂંટનો કાવતરું ઘડી જાતે જ સમગ્રબનાવનો ડોળ ઉભો કરી સોંને ગેરમાર્ગે દોરી તરકટ રચ્યું હતું. જોકે પોલીસે ગણતરીના કલાકોમાંઆ સમગ્ર બનાવ અંગે તપાસનો ધમધમાટ કરી વર્ણવાયેલ લૂંટના બનાવ બન્યો જ ન હોવાનુંશોધી કાઢ્યું હતું. બનાવના મૂળમાં ઉતરતા આ તરકટમાં મેનેજર સહીત અન્ય 5 ઈસમો મળી કુલ 6ઈસમો સંડોવાયેલ હોવાનું ઘસ્ફોટક થતાં પોલીસે બનાવમાં સંડોવાયેલ તમામ આરોપીઓને ઝડપીલઇ હજી વધુ ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. લૂંટમાં સંડોવાયેલ અને ઝડપાયેલ આરોપીઓપાસેથી પોલીસે 11 લાખ ઉપરાંતની રોકડ રકમ રિકવર કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢબારિયા
નગરના એસ આર પેટ્રોલ પંપ ઉપર ગત તારીખ ૧૬ ના રોજ સવારના અગિયાર વાગ્યાનાઅરસામાં કેસ કાઉન્ટરમાં અજાણ્યા બે થી ત્રણ ઈસમો ઘુસી જઇ મેનેજરની આંખમાં મરચાની ભૂકીનાખી કાઉન્ટર ઉપર રહેલ રોકડા રૂપિયા ૧૧.૮૪.૦૦૦ તેમજ સીસીટીવી નું ડીવીઆર ઉપાડી ગયાહોવાની ફરિયાદ દેવગઢ બારીયા પોલીસ મથકે પેટ્રોલ પંપના માલિક અબ્દુલ મજીદ હાજી સિકંદરખાન પઠાણ છે તેઓ રહે.છોટાઉદેપુરના લૂંટને લઇ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરતાપ્રાથમિક તપાસમાં પોલીસની આ લૂંટ અંગે પેટ્રોલ પંપ ના સ્ટાફ ની તરફ શંકાની સોઇ જતા પોલીસેદેવગઢ બારીયાના એસ.આર પેટ્રોલ પંપ તેમજ ભડભા ગામના પવનપુત્ર પેટ્રોલ પંપના સ્ટાફની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરતા તેમાં દેવગઢ બારીયાના પેટ્રોલ પંપના મેનેજર આબિદ અસદબિન ભાઈ અરબ રહે.કસ્બા વિસ્તાર દેવગઢ બારીયા,

Police investigating a robbery at a Dahod-petrol pump

તેમજ આકાશ મુકેશભાઈ સંગાડા રહે.પી.ટી.સી.કોલેજ ડાંગરિયા દેવગઢ બારીયાના એમ બંને ને અલગ અલગ રાખી તપાસ હાથધરતા બંનેની પૂછપરછમાં લૂંટ અંગેની અલગ-અલગ વિગત આવતા પોલીસે આ બંનેને અલગઅલગ રાખી સધન પુછપરછ હાથ ધરતા આખરે બંને પડી ભાગેલ અને ગુનાની કબૂલાત કરતા બન્ને આરોપીઓએ તેઓના પેટ્રોલ પંપ ઉપર બળવંતભાઈ સંગાડા રહે. પીટીસી કોલેજ આગળ જેઓ આ પેટ્રોલ પંપ ઉપર કલેક્શનનું કામ કરતા હોય અને તેઓએ આ કલેક્શનના પૈસામાંથી ઓછા પૈસા આપી તેમાંથી કેટલાક પૈસા તેને વાપરી નાખેલ અને તેને લોકો પાસેથી ઉછીના લીધેલા પૈસાપેટ્રોલ પંપની સિલકમાં થી આપી દીધેલ અને બીજા પૈસા વાપરી નાખેલ જેથી આ પેટ્રોલ પંપનીસિલક ના પૈસા આ બળવંત સંગાડા એ વાપરી નાંખતાં પૈસા પરત મુકવા માટે મેનેજર આબિદપઠાણ ને વચ્ચે રાખી નગરના રોમી અગ્રવાલ પાસેથી રૂપિયા નવ લાખ ઉછીના લીધેલ અને તેપછી આ ઉછીના નાણા ના પૈસા પોતાનું ખેતર વેચી આપી દેશે તેમ જણાવેલ તે પછી આ પૈસાનીઉઘરાણી રોમી અગ્રવાલ આ મેનેજર આબીદ પાસે કરતા અને બળવંત સંગાડા એ નોકરી ઉપરઆવવાનું બંધ કરી દેતાં આ મેનેજર મૂંઝવણમાં આવતા આખરે તેણે આ પૈસા ક્યાંથી લાવી આપવાતેમ વિચારી આખરે શુક્રવાર અને શનિવારનો કલેક્શનમાંથી નવ લાખ રૂપિયા રોમી અગ્રવાલ નેઆપી દીધેલ અને તે પછી રવિવારના રોજ આ મેનેજર આબિદ પઠાણ અને આકાશ સંગાડા તેમજ સલમાન આરબે લૂંટ નું કાવતરું રચી સ્ટોરી બનાવી લૂંટ ચલાવી હતી.

Share This Article