બનાસકાંઠા- ઉદરાણા ગામે જૈન મંદિરમાં રાત્રીના સમયે ચોરીની ઘટના બની

Subham Bhatt
1 Min Read

રાજયમાં કોરી અને લૂંટના બનાવો વધી ગયા છે. રોજે કોઈને કોઈ જગ્યાએ આવા બનાવો બની રહ્યાછે. જેને પગલે પોલીસ અને પ્રસાસન સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણઅવાર નવાર ચોરી અને લૂંટના બનાવો બની રહ્યા છે. ત્યારે વધુ એક વખત બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ઉદરાણા ગામે જૈન મંદિરમાં તસ્કરો ત્રાટકયા હતા

Banaskantha: A burglary took place at night in a Jain temple in Udrana village

બનાસકાંઠાના ઉદરાણા ગામે જૈન મંદિર માં રાત્રીના સમયેચોરી થતાં ચકચાર મચી જવા પામ્યો હતો. જૈન દેરાસરમાં અંદાજીત એક લાખ આસપાસની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા. વહેલી સવારે પૂજારી આવતાં સમગ્ર ઘટના ની જાણ થતાં જૈન અગ્રણીઓ દેરાસર દોડી આવ્યા હતા. થરાદ પંથકમાંચોરીની ઘટના થતાં લોકો માં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટના ની થરાદ પોલીસ ને જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Share This Article