બનાસકાંઠા-રાજપુત દેવચંદ પરિવારના કુળદેવીની વર્ષગાંઠ ઉજવાઇ

Subham Bhatt
1 Min Read

બનાસકાઠાના થરાદ ખાતે રાજપૂત વાસ શેણલ નગર સોસાયટીમાં આવેલ રાજપુત દેવચંદ પરિવાર ના કુળદેવી માતાજીનીચોથી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી. થરાદના રાજપુત દેવચંદ પરિવારના.કુળદેવી માંતાજી સતી.શ્રી દેવલબાઈ. ચામુંડામાતાજી અને ગોગ મહારાજની ચોથી વર્ષગાંઠની ઉજવણી કરાઈ ચોથી વર્ષગાંઠની ઊજવણીમાં માતાજીના મંદિરમાં રંગબેરંગીભવ્ય લાઈટિંગથી મંદિરો ઝગમગી ઉઠ્યું હતું. ચામુંડા માતાજીના યજ્ઞના યજમાન નરેશભાઈ રાજપુત અને તેમના ધર્મપત્ની રહ્યાહતા. સતી શ્રી દેવલબાઈ ના યજ્ઞ ના યજમાન વણાજી રાજપૂત અને તેમના ધર્મપત્ની રહ્યા હતા. આ યજ્ઞના શાસ્ત્રી જીતુભાઈ તરવાડી ઇન્દ્રવદન દવે સહિતના પંડિત દ્વારા મંત્રોચ્ચાર સાથે યજ્ઞ યોજાયો.

Anniversary of Kuldevi of Banaskantha-Rajput Devchand family celebrated

કુળદેવી માતાજીની ચોથી વર્ષગાંઠની ઊજવણીમાં થરાદ વાવ બિયોક.ના રાજપુત દેવચંદ પરિવારના.તમામ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા, અને યજ્ઞ બાદ માતાજીની આરતીકરવામાં આવી હતી અને માતાજી ને મહા પ્રસાદ ધરાવાયો હતો. અને તમામ પરિવારે પ્રસાદ લીધો હતો. આ સાથે જ રાત્રેસંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. માતાજી ની ચોથી વર્ષગાંઠ નિમિત્તે થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહરાજપુર નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશભાઈ રાજપુત તેમજ જગદીશભાઈ દવે તગજીભાઈ બારોટ પથુભાઈ.રાજપુત રાજપુત સમાજ અગ્રણી.સહિતના અગ્રણીઓ પણ હાજરી આપી હતી.

Share This Article