ભરુચ- આર.ટી.આઇ કાર્યકરોએ વિવિધ પડતર પ્રશ્નોને લઈ આવેદન અપાયું

Subham Bhatt
1 Min Read

સુરત ખાતે તાજેતરમાં આર.ટી.આઇ એક્ટિવિસ્ટનું સંમેલન યોજાયું હતું જેમાં બહોળા પ્રમાણમાં સમગ્ર ગુજરાતનાઆર.ટી.આઇ કાર્યકરો એ ભેગા થયા હતા અને જેમાં સર્વાનુમતે ૧૬ જેટલા ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા જે તમામજિલ્લામાં કલેકટર સમક્ષ રજુ કરાયા છે. સુરતના આ સંમેલનમાં ભરૂચ ખાતેથી પણ આર.ટી.આઇ એક્ટિવિસ્ટ ભાગ લેવા માટેગયા હોય તેઓએ પણ રાજયપાલને સંબોધીને ભરૂચના કલેકટર સમક્ષ એક લેખિત રજૂઆત કરી છે લેખિત રજૂઆતમાંજણાવ્યા અનુસાર માહિતી અધિકારી અધિનિયમ 2005 અનુસાર કલમ 15 (5) મુજબ રાજ્યમાં માહિતી પંચના કમિશનરઅને રાજયના માહિતી કમિશનરો કાયદા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક સેવા, વ્યવસ્થાપન, પત્રકારિત્વ, વહીવટ અનેસંચલનના ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવતા હોવા જોઇએ.

Bharuch- RTI activists applied for various issues

ગુજરાતમાં માહિતી આયોગના કમિશનરની ખાલી પડેલીજગ્યાઓમાં ભરતી કરવામાં આવે તેમ જ માહિતી અધિકારના કાયદામાં સંપૂર્ણ પારદર્શિતા રાખવામાં આવે આર.ટી.આઇ નાકાયદામાં દંડની જોગવાઈ હોવા છતાં પણ દંડ કરવામાં આવતો નથી તો અરજદારોને અરજીની પહોંચ પણ આપવામાં આવતીનથી. આ સમગ્ર મુદ્દા પર ગુજરાત રાજ્યના આર.ટી.આઇ એક્ટિવિસ્ટ દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અનેત્યારબાદ ૧૬ જેટલા જરૂરી સુધારા-વધારા કરવામાં આવ્યા છે. આ ૧૬ થી વધુ મુદ્દાઓ અને રાજ્યપાલને સંબોધીને વિસ્તૃત રજૂઆત કલેકટર સમક્ષ પાઠવવામાં આવી છે જે કલેકટર દ્વારા રાજ્યપાલ સમક્ષ મુકવામાં આવશે…

Share This Article