આશા પટેલે નાયબ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો

admin
1 Min Read

ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પત્ર લખ્યો છે. સાબરમતી સરસ્વતી નદીના લીકમાં આવતા તળાવો ભરવા બાબતે પત્ર લખ્યો છે. ધરોઈ ઓવરફ્લો થાય તો તેનું પાણી સાબરમતી અને સરસ્વતી નદી સાથે લિંક તળાવોમાં પાણી છોડવા રજુઆત કરાઈ છે. આ પાણી સિંચાઈ તેમજ ભુગર્ભ જળ સંચય અંતગત એ વહી જતું પાણી ઉપયોગી બનશે તેને લઈ રજુઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પત્રમાં આશા પટેલે નાયબ મુખ્ય પ્રધાને પત્ર લખી તળાવો ભરવાની રજૂઆત કરી છે. ધરોઈ ડેમ ઓવરફલો થતા તેના પાણીથી સાબરતી નદી અને સરસ્વતી નદી સાથે લીંક તળાવો ભરવાની રજૂઆત કરવામાં આવી છે. આ રીતે તળાવો ભરવાથી સિંચાઈ અને ભુગર્ભ જળ સંચયમાં મદદરૂપ થશે તેમ પણ કહ્યુ છે.

 

Share This Article